ચિદમબરમ હોઇ શકે છે યૂપીએના પીએમ પદના ઉમેદવાર

સમાચાર પત્રએ જણાવ્યા પ્રમાણે ચિદમબરમનું કદ યૂપીએમાં ઘણું વધ્યું છે અને નાણામંત્રી બન્યા બાદ તેમની સ્થિતિ વધુ મજબૂત થઇ છે. એફડીઆઇ પર સંસદમાં ગતિરોધને દૂર કરવામાં ચિદમબરમે યૂપીએ માટે મોટી ભૂમિકા નિભાવી છે. સર્વદળીય બેઠકમાં પણ ચિદમબરમ પાર્ટીના સારા જવાબદાર નેતા તરીકે જોવા મળ્યા.
સમાચારપત્રએ જણાવ્યા પ્રમાણે એફડીઆઇ મુદ્દે ડીએમકે જેવા સહયોગીને વોટિંગ માટે સમર્થન આપવા રાજી કરવા ચિદમબરમ માટે ફાયદાનો સોદો સાબિત થઇ શકે છે.
અખબારે દાવો કર્યો છે કે 'કેશ ટ્રાન્સફર સ્કીમ' લાગૂ કરવાને લઇને પણ નાણામંત્રી ચિદમબરમની ભૂમિકા પાર્ટીમાં તેમના કદમાં વધારો કરી શકે છે. અખબારે દલીલ કરી છે કે કોંગ્રેસની અંદર પણ તેમના વધતા કદને અનુભવવામાં આવી રહ્યું છે. એક વર્ષ પહેલાં ટેલિકોમ કૌભાંડને લઇને પ્રણવ મુખરજી સાથે ચિદમબરમના વિવાદમાં મહત્વ ચિદમબરમને આપવામાં આવ્યું હતું.
અખબારે પીએમ પદ માટે રાહુલ ગાંધીની દાવેદારીને ખારીજ કરી નાંખી છે. રાહુલ ક્યારે રાજકારણની મુખ્યપ્રવાહમાં આવશે તે તેમના સાથીદારો પણ નથી જાણતા.












Click it and Unblock the Notifications
