For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ UNGAના સંબોધન પર બોલ્યા ચિદમ્બરમ - 'હું નિરાશા કહું છું'

કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાન મોદીના ભાષણની ટીકા કરી છે. કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ પી. ચિદમ્બરમે કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વડાપ્રધાન મોદીનું ભાષણ સાંભળીને તેમને ખૂબ જ નિરાશ થયા હતા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ (25 સપ્ટેમ્બર) તેમની યુએસ મુલાકાતના છેલ્લા દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરી હતી. જ્યારે વડાપ્રધાન મોદીના અન્ય ભાષણની પ્રશંસા થઈ રહી છે, ત્યારે કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાન મોદીના ભાષણની ટીકા કરી છે.

મોદી

કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ પી. ચિદમ્બરમે કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વડાપ્રધાન મોદીનું ભાષણ સાંભળીને તેમને ખૂબ જ નિરાશ થયા હતા. કારણ કે, કોઈએ તાળીઓ પાડી ન હતી. બીજી તરફ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ટ્વીટ કરીને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. કપિલ સિબ્બલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હેમંત બિસ્વાને ટોન્ટ માર્યો છે.

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલતા વડાપ્રધાન મોદીએ ભારતને સર્વ લોકશાહીની માતા ગણાવ્યું છે. હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે, યોગીજી અને હિમંત બિસ્વા શર્મા સાંભળી રહ્યા હશે.

PM મોદીએ UNGAમાં શું કહ્યું?

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રને સંબોધિત કરતા કહ્યું કે, ભારત એક વાઇબ્રન્ટ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 76મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન દરમિયાન કહ્યું હતું કે, "જ્યારે ભારતનો વિકાસ થાય છે, ત્યારે વિશ્વનો વિકાસ થાય છે. જ્યારે ભારતનાં સુધરો થાય છે, ત્યારે વિશ્વમાં બદલાવ આવે છે."
  • પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કોવિડ 19, ભારતમાં રસીનું ઉત્પાદન, સમુદ્રી સંસાધનોનો યોગ્ય ઉપયોગ જેવા મુખ્ય મુદ્દાઓ વિશે વાત કરી હતી.
  • આતંકવાદને રાજકીય સાધન તરીકે ઉપયોગ કરવા બદલ પાકિસ્તાન પર કટાક્ષ પણ કર્યો હતો.
  • અફઘાનિસ્તાન વિશે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ ક્ષેત્રનો ઉપયોગ આતંકવાદ અને આતંકવાદી હુમલા ફેલાવવા માટે ન થાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક ટ્વિટમાં કહ્યુ હતું કે, 'વૉશિંગ્ટન ડીસીમાં ઘણી બેઠકો બાદ, પીએમ મોદી ન્યૂયૉર્ક શહેર પહોંચી ગયા છે. જ્યાં તે UNGA સત્રને સંબોધિત કરશે.' પીએમ નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રની સામાન્ય ચર્ચાને સંબોધિત કરશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રની આ વર્ષની થીમ છે - કોવિડ 19થી ઉભરવાની આશાના માધ્યમથી વિકાસ તરફ આગળ વધવુ, સ્થાયી રીતે પુનનિર્માણ, પ્લાનેટની જરૂરિયાતોનો જવાબ આપવો, લોકોના અધિકારોનુ સન્માન અને સંયુક્ત રાષ્ટ્રને પુનર્જીવિત કરવુ. પીએમ નરેન્દ્ર મોદીએ છેલ્લી વાર 2019માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રને સંબોધિત કર્યુ હતુ.

English summary
Prime Minister Narendra Modi addressed the United Nations General Assembly (UNGA) on Saturday (September 25), the last day of his US visit. While other speeches by Prime Minister Modi are being lauded, Congress leaders have criticized Prime Minister Modi's speech.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X