દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પહોંચ્યુ ખતરનાક સ્તરે, 10 અને 12 સિવાયની તમામ સ્કૂલો આગામી આદેશ સુધી બંધ
Air pollution:દિલ્હીમાં વાયુ પ્રદૂષણ (AQI)નું સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. આ કારણે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ જાહેરાત કરી છે કે ધોરણ 10 અને 12 સિવાયના તમામ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બંધ કરવામાં આવશે. સ્કૂલોને લઈને દિલ્હી સરકારનો આ નિર્ણય સોમવારથી દિલ્હી-NCRમાં GRAP-4 લાગુ થયા બાદ તરત જ લેવામાં આવ્યો છે.
With the imposition of GRAP-4 from tmrw, physical classes shall be discontinued for all students, apart from Class 10 and 12. All schools will hold online classes, until further orders.
— Atishi (@AtishiAAP) November 17, 2024
સીએમ આતિશીની સોશિયલ મીડિયા માધ્યમ એક્સ પર પોસ્ટમાં માહિતી આપતાં કહેવામાં આવ્યું હતું કે, "GRAP-4ના અમલીકરણ સાથે, ધોરણ 10 અને 12 સિવાયના તમામ વિદ્યાર્થીઓ માટે શારીરિક વર્ગો બંધ થઈ જશે. તમામ શાળાઓ આગામી આદેશો સુધી ઓનલાઈન વર્ગો ચલાવશે."
હરિયાણામાં AQI 400ની નજીક
આ સિવાય હરિયાણાના ઘણા જિલ્લાઓમાં AQI 400ની નજીક પહોંચી ગયો છે. ખતરનાક વાયુ પ્રદૂષણને કારણે હરિયાણા સરકારે ઘણા જિલ્લાઓમાં પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
હરિયાણામાં પણ શાળા બંધ
હરિયાણા સરકારે ગુરુગ્રામ, રોહતક, સોનીપત અને ઝજ્જર જિલ્લામાં વાયુ પ્રદૂષણને કારણે પ્રાથમિક શાળાઓને આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જો કે, આનાથી બાળકોના શિક્ષણ પર કોઈ અસર નહીં થાય. રાજ્ય સરકારે આ શાળાઓને ઓનલાઈન શિક્ષણ તરફ વળવા જણાવ્યું છે.

10 શહેરોમાં શાળાઓ થઈ શકે છે બંધ
જો સ્થિતિ વધુ બગડે છે, તો 10 અન્ય શહેરોમાં શાળાઓ બંધ થઈ શકે છે, જેમાં ફરીદાબાદ, નૂહ, રેવાડી, પાણીપત, પલવલ, ભિવાની, ચરખી દાદરી, મહેન્દ્રગઢ, જીંદ અને કરનાલનો સમાવેશ થાય છે.
કમિશનરને અપાઈ સત્તા
NCRમાં હરિયાણાના 14 શહેરો છે. આને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ વિભાગે તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરોને પ્રદૂષણ અને સ્મોગની સ્થિતિનું આકલન કરીને રજા પર નિર્ણય લેવાની સ્વતંત્રતા આપી હતી.












Click it and Unblock the Notifications
