ચીને પીએમ મોદીના અરુણાચલ પ્રવાસનો કર્યો વિરોધ, રાજ્યને ગણાવ્યો ‘વિવાદિત હિસ્સો'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં હતા અને ચીનને આ વાત ગમી નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં હતા અને ચીનને આ વાત ગમી નથી. ચીને અધિકૃત નિવેદન જારી કરીને પીએમ મોદીના આ પ્રવાસ પર વિરોધ નોંધાવ્યો છે. શનિવારે પીએમ મોદીએ ઈટાનગરમાં રેલી કરી અને અહીં અમુક પ્રોજેક્ટસનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશને ભારતની સુરક્ષાનો રસ્તો કહ્યો છે.
|
પીએમ મોદીએ કહ્યુ અરુણાચલના વિકાસને પ્રતિબદ્ધ
ચીનના સરકારી વર્તમાનપત્ર પીપલ્સ ડેલીએ વિદેશ મંત્રાલયના હવાલાથી આ સમાચાર આપ્યા છે. પીપલ્સ ડેલીએ જણાવ્યુ કે ‘ચીન એ હિસ્સાને માન્યતા નથી આપતો જેને ભારત અરુણાચલ પ્રદશ કહે છે અને આ સાથે પીએમ મોદીના આ વિવાદિત હિસ્સા પર થયેલા પ્રવાસનો આકરો વિરોધ કરે છે. ચીનનું વલણ ભારત-ચીન સીમા પર એકદમ સાફ અને અડગ છે.' પીએમ મોદીએ શનિવારે ઈટાનગરમાં થયેલા રેલીમાં કહ્યુ કે ભારતની સરકાર દેશના હિસ્સાનો પૂર્ણ વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.

દક્ષિણિ તિબેટનો હિસ્સો છે અરુણાચલ
ચીની વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે માત્ર પીએમ મોદી નહિ પરંતુ ભારતના દરેક બીજા નેતાઓની આ ક્ષેત્રમાં વધતી ગતિવિધિઓના કારણે સીમા વિવાદ એક જટિલ વિષય બની ગયો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને સારા કરવા માટે ઘણી વાતચીત થઈ ચૂકી છે પરંતુ તેમ છતાં પણ વર્ષ 1962માં થયેલી જંગ બાદથી સીમા વિવાદ ભારત-ચીન વચ્ચે એક મુશ્કેલ મુદ્દો બનેલો છે. ચીન, અરુણાચલ પ્રદેશને દક્ષિણી તિબેટનો હિસ્સો ગણાવે છે.
દક્ષિણિ તિબેટનો હિસ્સો છે અરુણાચલ
ચીની વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે માત્ર પીએમ મોદી નહિ પરંતુ ભારતના દરેક બીજા નેતાઓની આ ક્ષેત્રમાં વધતી ગતિવિધિઓના કારણે સીમા વિવાદ એક જટિલ વિષય બની ગયો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને સારા કરવા માટે ઘણી વાતચીત થઈ ચૂકી છે પરંતુ તેમ છતાં પણ વર્ષ 1962માં થયેલી જંગ બાદથી સીમા વિવાદ ભારત-ચીન વચ્ચે એક મુશ્કેલ મુદ્દો બનેલો છે. ચીન, અરુણાચલ પ્રદેશને દક્ષિણી તિબેટનો હિસ્સો ગણાવે છે.

જૂન 2017માં થયો હતો ડોકલામ વિવાદ
ચીને ભારતને કહ્યુ કે તે દ્વિપક્ષીય સંબંધો માટે જરૂરી બધા પાસાઓ પર આગળ વધે. આ ઉપરાંત ચીને એ પણ કહ્યુ કે ભારત તેના હિતો અને ચિંતાઓને સમજે. ચીન તરફથી આવેલા નિવેદન પર હજુ સુધી ભારતના વિદેશ મંત્રાલય તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જૂન 2017માં ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ થયો હતો અને 73 દિવસો બાદ ખતમ થયો હતો.

અરુણાચલમાં એરપોર્ટનું ઉદઘાટન
એક્ટ ઈસ્ટ પોલિસી, પીએમ મોદીના નોર્થ ઈસ્ટમાં એક મહત્વનો એજન્ડા રહ્યો છે. શનિવારે પીએમે અરુણાચલ પ્રદેશમાં તેજુ એરપોર્ટનું ઉદઘાટન કર્યુ. પીએમ મોદીએ લોહિત જિલ્લામાં સ્થિત તેજુ એરપોર્ટનું ઉદઘાટન કર્યુ તેમજ તેમણે હોલોગીમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે અરુણાચલ પ્રદેશને હવાઈ માર્ગ ઉપરાંત રેલવે અને રોડ વાહન વ્યવહાર દ્વારા દેશના બાકીના હિસ્સાથી જોડવામાં આવશે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
