Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચીને પીએમ મોદીના અરુણાચલ પ્રવાસનો કર્યો વિરોધ, રાજ્યને ગણાવ્યો ‘વિવાદિત હિસ્સો'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં હતા અને ચીનને આ વાત ગમી નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં હતા અને ચીનને આ વાત ગમી નથી. ચીને અધિકૃત નિવેદન જારી કરીને પીએમ મોદીના આ પ્રવાસ પર વિરોધ નોંધાવ્યો છે. શનિવારે પીએમ મોદીએ ઈટાનગરમાં રેલી કરી અને અહીં અમુક પ્રોજેક્ટસનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશને ભારતની સુરક્ષાનો રસ્તો કહ્યો છે.

પીએમ મોદીએ કહ્યુ અરુણાચલના વિકાસને પ્રતિબદ્ધ

ચીનના સરકારી વર્તમાનપત્ર પીપલ્સ ડેલીએ વિદેશ મંત્રાલયના હવાલાથી આ સમાચાર આપ્યા છે. પીપલ્સ ડેલીએ જણાવ્યુ કે ‘ચીન એ હિસ્સાને માન્યતા નથી આપતો જેને ભારત અરુણાચલ પ્રદશ કહે છે અને આ સાથે પીએમ મોદીના આ વિવાદિત હિસ્સા પર થયેલા પ્રવાસનો આકરો વિરોધ કરે છે. ચીનનું વલણ ભારત-ચીન સીમા પર એકદમ સાફ અને અડગ છે.' પીએમ મોદીએ શનિવારે ઈટાનગરમાં થયેલા રેલીમાં કહ્યુ કે ભારતની સરકાર દેશના હિસ્સાનો પૂર્ણ વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.

દક્ષિણિ તિબેટનો હિસ્સો છે અરુણાચલ

દક્ષિણિ તિબેટનો હિસ્સો છે અરુણાચલ

ચીની વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે માત્ર પીએમ મોદી નહિ પરંતુ ભારતના દરેક બીજા નેતાઓની આ ક્ષેત્રમાં વધતી ગતિવિધિઓના કારણે સીમા વિવાદ એક જટિલ વિષય બની ગયો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને સારા કરવા માટે ઘણી વાતચીત થઈ ચૂકી છે પરંતુ તેમ છતાં પણ વર્ષ 1962માં થયેલી જંગ બાદથી સીમા વિવાદ ભારત-ચીન વચ્ચે એક મુશ્કેલ મુદ્દો બનેલો છે. ચીન, અરુણાચલ પ્રદેશને દક્ષિણી તિબેટનો હિસ્સો ગણાવે છે.
દક્ષિણિ તિબેટનો હિસ્સો છે અરુણાચલ
ચીની વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે માત્ર પીએમ મોદી નહિ પરંતુ ભારતના દરેક બીજા નેતાઓની આ ક્ષેત્રમાં વધતી ગતિવિધિઓના કારણે સીમા વિવાદ એક જટિલ વિષય બની ગયો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને સારા કરવા માટે ઘણી વાતચીત થઈ ચૂકી છે પરંતુ તેમ છતાં પણ વર્ષ 1962માં થયેલી જંગ બાદથી સીમા વિવાદ ભારત-ચીન વચ્ચે એક મુશ્કેલ મુદ્દો બનેલો છે. ચીન, અરુણાચલ પ્રદેશને દક્ષિણી તિબેટનો હિસ્સો ગણાવે છે.

જૂન 2017માં થયો હતો ડોકલામ વિવાદ

જૂન 2017માં થયો હતો ડોકલામ વિવાદ

ચીને ભારતને કહ્યુ કે તે દ્વિપક્ષીય સંબંધો માટે જરૂરી બધા પાસાઓ પર આગળ વધે. આ ઉપરાંત ચીને એ પણ કહ્યુ કે ભારત તેના હિતો અને ચિંતાઓને સમજે. ચીન તરફથી આવેલા નિવેદન પર હજુ સુધી ભારતના વિદેશ મંત્રાલય તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જૂન 2017માં ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ થયો હતો અને 73 દિવસો બાદ ખતમ થયો હતો.

અરુણાચલમાં એરપોર્ટનું ઉદઘાટન

અરુણાચલમાં એરપોર્ટનું ઉદઘાટન

એક્ટ ઈસ્ટ પોલિસી, પીએમ મોદીના નોર્થ ઈસ્ટમાં એક મહત્વનો એજન્ડા રહ્યો છે. શનિવારે પીએમે અરુણાચલ પ્રદેશમાં તેજુ એરપોર્ટનું ઉદઘાટન કર્યુ. પીએમ મોદીએ લોહિત જિલ્લામાં સ્થિત તેજુ એરપોર્ટનું ઉદઘાટન કર્યુ તેમજ તેમણે હોલોગીમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો. પીએમ મોદીએ કહ્યુ કે અરુણાચલ પ્રદેશને હવાઈ માર્ગ ઉપરાંત રેલવે અને રોડ વાહન વ્યવહાર દ્વારા દેશના બાકીના હિસ્સાથી જોડવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X