CJI સામે આરોપઃ 300થી વધુ મહિલાઓએ કરી સુનાવણી રોકવાની માંગ, જજોને લખી ચિઠ્ઠી
સીજેઆઈ રંજન ગોગોઈ સામે યૌન શોષણના આરોપોની તપાસ પર ચિંતા વ્યક્ત કરીને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને એક ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે. પત્રને 300થી વધુ વ્યક્તિઓનું સમર્થન મળેલુ છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈ સામે યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાએ ચાલી રહેલી તપાસ પ્રક્રિયામાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. વળી, મહિલાના આ નિર્ણય બાદ જસ્ટીસ ગોગોઈ તપાસ પેનલ સામે હાજર થયા હતા. આ દરમિયાન સીજેઆઈ રંજન ગોગોઈ સામે યૌન શોષણના આરોપોની તપાસ પર ચિંતા વ્યક્ત કરીને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને એક ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે. પત્રને 300થી વધુ વ્યક્તિઓનું સમર્થન મળેલુ છે જેમાં વકીલ, કાર્યકર્તા અને ઘણા બિન સરકારી સંગઠન પણ શામેલ છે.

ફરિયાદકર્તાના નિર્ણયના સમર્થનમાં 300 મહિલાઓ
આ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે મહિલાની તપાસ પ્રક્રિયાથી હટ્યા બાદ પણ તપાસ ચાલુ રાખીને અને સીજેઆઈ ગોગોઈને સમન કરીને સમિતિએ પોતાને અવિશ્વસનીય બનાવી લીધા છે. તેમણે સીજેઆઈ સામે ઉત્પીડન કેસમાં સુનાવણી પર રોક લગાવવાની માંગ કરી છે. પત્રમાં કહેવામાં આવ્યુ છે, ‘અમે મહિલાના તપાસ પ્રક્રિયામાં શામેલ ન થવાના નિર્ણયનું સમર્થન કરીએ છીએ.' તેમણે આ કેસમાં કોઈ બહારના સભ્ય ના હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.

મહિલાએ તપાસ પ્રક્રિયામાં શામેલ થવાનો કર્યો હતો ઈનકાર
300થી વધુ મહિલાઓના પ્રિવેન્શન ઑફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ એક્ટ 2013 હેઠળ યૌન શોષણની અટકાયતની જોગવાઈને ધ્યાનમાં રાખીને વિશેષ તપાસ સમિતિએ આની સુનાવણી કરવાની માંગ કરી છે. પહેલા પણ મહિલાઓએ ન્યાયાધીશોને પત્ર લખીને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. આ પત્રમાં તેમણે પોતાની માંગો પરિવર્તિત કરી છે. પત્રમાં મહિલાઓ દ્વારા તપાસ પ્રક્રિયાથી હટવા પાછળ આપેલા કારણોને યોગ્ય ઠેરવ્યા છે, ખાસ કરીને શક્તિનું અસંતુલનના સંદર્ભમાં જ્યાં એક તરફ મહિલા અને બીજી તરફ ન્યાયપાલિકાના વરિષ્ઠ સભ્યોને રાખવામાં આવ્યા છે.

મહિલાએ લગાવ્યા છે સીજેઆઈ પર યૌન શોષણના આરોપ
આ પહેલા મહિલા પોતાના લિખિત પત્ર સાથે કમિટી સામે પહોંચી હતી અને તેણે જણાવ્યુ હતુ કે છેવટે તેણે યૌન શોષણની ફરિયાદ સાત મહિના બાદ કેમ કરી. મહિલાનું કહેવુ હતુ કે વકીલ વિના કમિટીની અંદર મને મારો પક્ષ રાખવો માનસિક પીડા આપી રહ્યો હતો. મહિલાએ નિવેદન જાહેર કરીને કહ્યુ કે હવે તે કમિટીની સુનાવણીમાં ભાગ નહિ લે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
