CM ભગવંત માને દૂધ પ્રોસેસિંગ અને બટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ, જાણો તેની તમામ ખાસિયત!
પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે. હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લુધિયાણાના વેરકા મિલ્ક પ્લાન્ટ ખાતે 105 કરોડના ખર્ચે દૂધ પ્રોસેસિંગ અને બટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે.
લુધિયાણા : પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સતત એક્શનમાં જોવા મળી રહી છે. હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લુધિયાણાના વેરકા મિલ્ક પ્લાન્ટ ખાતે 105 કરોડના ખર્ચે દૂધ પ્રોસેસિંગ અને બટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની શરૂઆતથી વેરકા મિલ્ક પ્લાન્ટમાં દૂધ પ્રોસેસિંગ ક્ષમતા 5 લાખ લિટરથી વધીને 9 લાખ લિટર થઈ જશે.

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, પંજાબ હવે પ્રગતિના માર્ગ પર છે. જૂની સિસ્ટમને સાફ કરવામાં 6 મહિના લાગ્યા. પંજાબમાં ઘણા ઉદ્યોગો આવી રહ્યા છે, જેના કારણે યુવક-યુવતીઓને પણ રોજગાર મળશે. સીએમ માને કહ્યું કે હવે પંજાબમાં કોઈ ઉદ્યોગપતિઓ પાસેથી કોઈ હિસ્સો માંગતુ નથી. પંજાબમાં 2600 કરોડનો ટાટા સ્ટીલ પ્લાન્ટ પણ ટૂંક સમયમાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું કે, હું પંજાબના યુવાનોને નોકરી શોધનાર નહીં પરંતુ આપનાર બનાવવા માંગુ છું. વેરકાની ઓફિસ દિલ્હીમાં ખોલવામાં આવશે, વેરકા ઘણી નોકરીઓ પેદા કરી શકે છે. સાથે જ મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે અમે મોટા નિર્ણયો લઈ રહ્યા છીએ અને સરકારનું ધ્યાન માત્ર રોજગાર પર છે.












Click it and Unblock the Notifications
