સીએમ ભગવંત માનના મંત્રીએ ગામોની મુલાકાત લીધી, ડેન્ગ્યૂ પ્રત્યે જાગૃતિ ફેલાવી
પંજાબના સ્વાસ્થ્ય મંત્રી ડૉ બલબીર સિંહે આજે મોહાલી પાસે ગામનો પ્રવાસ કર્યો જ્યાં લોકોના ઘર બહાર એકત્રિત થયેલા પાણીમાં ડેંગ્યૂની ફેક્ટરી લાગી હોય તેમ મચ્છરનો ઉપદ્રવ હતો, જે બાબતે લોકોને જાગરુત કર્યા. ઉપરાંત દર શુક્રવારે સ્વાસ્થ્ય કમિટીઓ લોકોના ઘરે જઈ તેમને જાગરુક કરશે.

મુખ્યમંત્રી ભગવંત માન 15 ઓગસ્ટે વધુ 75 આમ આદમી ક્લીનિક પંજાબીઓને સમર્પિત કરશે. 580 આમ આદમી ક્લીનિક પહેલેથી જ પંજાબમાં ખોલવામાં આવી ચૂક્યાં છે. કેન્દ્ર તરફથી હજી સુધી અમારા 580 કરોડના ફંડને લઈ કોઈ સકારાત્મક જવાબ નથી આવ્યો જે નિંદનીય છે પરંતુ અમારા ભગવંત માન અમને સતત ફંડ આપી રહ્યા છે જેથી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલાં કામ અટકે નહીં.












Click it and Unblock the Notifications
