પંજાબઃ કરતારપુરમાં સીએમ માનની રેલી, કહ્યુ - પટિયાલામાં વધુ એક ટોલ પ્લાઝા થશે બંધ
જલંધર પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ કરતારપુરના દાણા મંડીમાં તેની પ્રથમ ચૂંટણી રેલી યોજી હતી. તાજેતરમાં કોંગ્રેસમાંથી AAPમાં જોડાયેલા અને જલંધરથી ઉમેદવાર સુશીલ રિંકુ માટે પ્રચરા કરવા આવેલા સીએમ ભગવંત માને કહ્યુ કે સુખબીર બાદલ જેવા લોકો જે વીજળીની વાત કરે છે, તેમને પૂછો કે તેમના શાસન દરમિયાન વીજળી કેવી રીતે કાપવામાં આવતી હતી.

તેમણે કહ્યું કે પીએસપીસીએલને એડવાન્સમાં પૈસા આપવામાં આવ્યા છે. ઉનાળામાં લોકોને કાપ વિના વીજળી મળશે. તેમણે કહ્યું કે પંજાબ સરકારે લોકોને વીજળી બિલ માફ કરવાની ખાતરી આપી હતી ત્યારે પણ આ લોકો આ રીતે અવાજ ઉઠાવતા હતા, પૈસા ક્યાંથી આવશે. ભગવંતે લોકોને પૂછ્યુ કે હવે વીજળીનુ બિલ શૂન્ય આવે છે કે નહીં.
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે પંજાબ સરકારમાં ચૂંટાયેલા લોકો સામાન્ય પરિવારના છે. હવે વર્ષોથી ખુરશી પર કુંડળી મારીને બેઠેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ કહી રહ્યા છે કે નવી સરકારના પ્રતિનિધિઓને અનુભવ નથી. તેમણે કહ્યું કે અનુભવ ધરાવતા લોકોએ પંજાબને લૂંટીને આવુ બનાવી દીધુ છે. એટલા માટે લોકોએ તેમને બહાર કાઢીને ફેંકી દીધા.
મુખ્યમંત્રીએ કહ્યુ કે ચિંતા ન કરો, પંજાબની જનતાના પૈસા જેણે પણ લૂંટ્યા તેને બક્ષવામાં આવશે નહીં. લૂંટના પૈસાથી તેમણે બનાવેલી મિલકતો જપ્ત કરવામાં આવશે અને તમામ નાણાં સરકારની તિજોરીમાં જમા કરવામાં આવશે. તેમણે કહ્યુ કે આવતીકાલે પટિયાલામાં વધુ એક ટોલ પ્લાઝા બંધ થવા જઈ રહ્યો છે અને આ પંજાબનો 9મો ટોલ પ્લાઝા હશે, જે સરકાર દ્વારા બંધ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
