CM યોગીએ જૌનપુર-વારાણસીમાં જનસભાને કરી સંબોધિત, કહ્યુ - ગઈ સરકારોએ કરી દીધા બરબાદ
UP Nagarpalika Election: યુપી નગપાલિકા ચૂંટણી 2023 દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં સતત જાહેર સભાઓ યોજવામાં આવી રહી છે. સીએમ યોગીએ સોમવારે જૌનપુર અને વારાણસીમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
જૌનપુરમાં તેમણે માતા શીતલાની ભૂમિ અને ઋષિમુનિઓની ભૂમિને પ્રણામ કર્યા અને કહ્યુ કે બુઆ-બબુઆ અને ભાઈ-બહેનની સરકારે જૌનપુરને બરબાદ કરી દીધુ. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે જૌનપુરની ઓળખ માટે સંકટ ઊભુ થયુ હતુ.

જૌનપુરે અનેક વિદ્વાનો આપ્યા. વિરોધી પક્ષોએ ગોમતી નદીના પાણીને માત્ર પ્રદૂષિત જ નથી કર્યુ પણ અહીંની ઈમરાતીના અત્તર અને મીઠાશને કડવાશમાં ફેરવવાનુ કામ કર્યુ. વધુમાં તેમણે કહ્યુ કે આજે જૌનપુર પોતાની જૂની ઓળખ જાળવીને આગળ વધી રહ્યુ છે.
નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરતા તેમણે કહ્યું હતું કે, લોકો ચૂંટણી સમયે આવે છે અને મોટા વચનો આપીને જતા રહે છે. જૌનપુરના લોકોએ આવા લોકોથી સાવધાન રહેવુ જોઈએ. આજે સમગ્ર ઉત્તર પ્રદેશમાં વિકાસની લહેર ફરી રહી છે.
ઉત્તર પ્રદેશમાં મેડિકલ કોલેજ, હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અનેક યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે હાલમાં સરકાર દ્વારા ગરીબો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. 6 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં 54 લાખ મકાનો આપવામાં આવ્યા.
સિદ્ધિઓની ગણતરી કરતા, તેમણે જૌનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન હેઠળ 20 હજારથી વધુ લોકોને એક-એક ઘર આપવાનો પણ ઉલ્લેખ કર્યો. વધુમાં તેમણે કહ્યું કે જૌનપુરના લોકોને ઈમરતી અને ઈમાનદારીના અત્તરથી જોડવાનું કામ થઈ રહ્યું છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જૌનપુરમાં જનસભાને સંબોધિત કર્યા બાદ વારાણસી પહોંચ્યા હતા. વારાણસીના મિની સ્ટેડિયમમાં જનસભાને સંબોધિત કરતી વખતે પણ સીએમ યોગી વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે સરકારની ઉપલબ્ધિઓ પણ ગણાવી હતી.












Click it and Unblock the Notifications
