UP News: CM યોગીએ સોનભદ્રમાં 217 વિકાસ પરિયોજનાઓનુ કર્યુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ

UP News: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોનભદ્રનો મોટી ભેટ આપી છે. તેમણે 414 કરોડની કિંમતની 217 વિકાસ પરિયોજનાઓનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

અહીં એક જનસભાને સંબોધિત કરીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે આજથી 6 વર્ષ પહેલા સુધી સોનભદ્ર અને મિર્જાપુરમાં પણ શુદ્ધ પીવાનુ પાણી મળવુ એક સપનુ હતુ. તેમણે આશ્વાસન આપ્યુ કે હવે આ સપનુ સાકાર થવા જઈ રહ્યુ છે.

Yogi Adityanath

તેમણે કહ્યુ કે અમુક મહિનાઓમાં જળ જીવન હેઠળ હર ઘર નલની યોજના શરુ થઈ જશે. હવે સરકાર લોકોના ઘરો સુધી આરઓનુ પાણી પાઈપથી પહોંચાડવાનુ કામ કરવા જઈ રહી છે. સીએમ યોગીએ કહ્યુ કે ભાજપ સરકારે લોકોના જીવનમાં ખુશીઓ લાવવાનુ કામ કર્યુ. સરકારે જનકલ્યાણકારી યોજનાઓને લાભ વિના લાભાર્થીઓ સુધી પહોંચાડી.

મુખ્યમંત્રીના પ્રવાસને જોતા અહીં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. હેલીપેડથી સભા સ્થળ સુધી રસ્તાની બંને બાજુએ સાફ-સફાઈ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની સભામાં જોડાવા લોકો બસોમાં આવ્યા હતા. ઉદ્ઘાટન અને શિલાન્યાસમાં કાર્યકર્તાઓ સહિત નેતાઓ પણ હાજર રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે ગરમીના કારણે પંડાલમાં પંખા અને કૂલર લગાવવામાં આવ્યા હતા અને લોકોને પીવા માટે વોટર ટેંક લગાવવામાં આવ્યા હતા. એક હજારથી વધુ પોલીસ જવાન અને અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલા હતા. તમને જણાવી દઈએ કે ભાજપ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂરા થવા પર મહા જનસંપર્ક અભિયાન ચલાવી રહી છે. એક મહિના સુધી મહા જનસંપર્ક અભિયાન દ્વારા લોકોને ભાજપ સરકારની ઉપલબ્ધિઓ જણાવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X