UP News: 1500 નવા યુગલોને સીએમ યોગીએ આપ્યા આશીર્વાદ, કહ્યુ - દહેજ કુપ્રથા સામે છે આ અભિયાન

Gorakhpur News: ગોરખપુરના ચંપા દેવી પાર્કમાં ગુરુવારે મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ યોગીએ 1500 યુગલોને આશીર્વાદ આપ્યા હતા. તેમાં 68 મુસ્લિમ યુગલો પણ સામેલ છે.

આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું કે સમૂહ લગ્ન યોજના દહેજ પ્રથાની વિરુદ્ધ છે. સમાજના તમામ લોકોએ આગળ આવીને બાળ લગ્ન અને દહેજ પ્રથાનો વિરોધ કરવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, સમૂહ લગ્ન યોજના એ દહેજના સામાજિક દુષણ સામે સકારાત્મક અભિયાન છે.

Yogi Adityanath

સીએમ યોગીએ કહ્યું કે, આ યોજના હેઠળ 2017થી અત્યાર સુધીમાં બે લાખથી વધુ લગ્ન કરવામાં આવ્યા છે. 2017 પહેલા દંપત્તિ દીઠ લગ્ન પાછળ 31 હજાર રૂપિયાનો ખર્ચ થતો હતો, બાદમાં તે વધારીને 51 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મહિલા સુરક્ષા, સન્માન અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. રાજ્યમાં બાળકીના જન્મથી લઈને સ્નાતક સુધીના શિક્ષણ માટે મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના ચલાવવામાં આવી રહી છે.

આ લગ્ન સમારોહમાં 68 મુસ્લિમ યુગલોએ નિકાહ સ્વીકાર્યા હતા. લગ્ન માટે 5 મૌલવી અને 15 પંડિત હાજર રહ્યા. લગ્ન સ્થળ પર 400થી વધુ વેદી બનાવવામાં આવી. ચાર યુગલોએ એક વેદી પર લગ્ન કર્યા. તમામ કપલ્સ સવારે 8 વાગે લગ્ન સ્થળે પહોંચી ગયા હતા.

દરેક લગ્ન પર સરકાર 51 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તેમાંથી 35,000 રૂપિયા લગ્ન કરવા જઈ રહેલી યુવતીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જ્યારે 10 હજાર રૂપિયા ભેટ છે અને બાકીની રકમ અન્ય ખર્ચમાં આવે છે.

આ પ્રસંગે સાંસદ રવિકિશન શુક્લા, કમલેશ પાસવાન, મેયર ડૉ. મંગલેશ શ્રીવાસ્તવ, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને MLC ડૉ. ધર્મેન્દ્ર સિંહ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X