Gorakhpur News : CM યોગી આજે ગોરખપુરના પ્રવાસે, શહેરીજનોને આપશે નવી ભેટ
Gorakhpur News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંગળવારે ત્રણ દિવસના પ્રવાસ પર ગોરખપુર આવશે. આ દરમિયાન તેઓ ગોરખપુરવાસિઓને લગભગ 4 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાની ભેટ આપશે.
સીએમ ખોરાબાર ટાઉનશિપ અને મેડિસિટી યોજનાનો શુભારંભ પણ કરશે. જેનાથી ગોરખપુર સહિત આખા પૂર્વાંચલવાસિઓને આવાસ અને સ્વાસ્થ્ય સુવિધાઓની મોટી ભેટ મળશે. સીએમ 3838 કરોડ રૂપિયાની 147 વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે.

જાણકારી મુજબ જીડીએએ ખોરાબારમાં લગભગ બસો એકર ભૂમિમાં ખોરાબાર ટાઉનશિપ અને મેડિસિટી યોજના પર કાર્ય શરૂ કર્યું છે.
ખોરાબાર ટાઉનશિપમાં વિવિધ શ્રેણીમાં બહુમાળીય ભવનોમાં કુલ 2080 ફ્લેટ બનાવવામાં આવશે. આની સાથે જ જીડીએ દ્વારા મેડિસિટી અત્યાધઉનિક સુવિધાઓથી સજ્જ હશે.
મેડિસિટીમાં 8 મોટા ભૂખંડ, મોટા હોસ્પિટલ/ નર્સિંગ હોમ્સ માટે હશે. આ ઉપરાંત 16 ભૂખંડ મધ્યમ આકારના નર્સિંગ હોમ્સ માટે, 48 ભૂખંડ નાના આકારના નર્સિ્ંગ હોમ્સ માટે વહેંચવામાં આવશે. જ્યારે આયુષ ચિકિત્સા અને આવાસીય ક્લિનિક માટે પણ એક-એક ભૂખંડની વ્યવસ્થા બનાવવામાં આવી છે.
સીએમ યોગી ખોરાબાર ટાઉનશિપ સાથે જ જીડીએની રાપ્તી નગર વિસ્તાર, રોહિણી અને તારામંડળ આવાસીય યોજનાનો શુભારંભ કરશે. જેમાં મિવન ટેક્નિકથી કુલ ત્રણ હજારથી વધુ ફ્લેટ તૈયાર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
