મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સામે નવી ફરિયાદ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નવા વિવાદમાં ફસાઈ ગયા છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નવા વિવાદમાં ફસાઈ ગયા છે. ઉદ્ધવ ઠાકરે નવા વિવાદમાં ફસાઈ ગયા છે. ઉદ્ધવ ઠાકરે સામે ભાજપ નેતા તજિંદર સિંહ બગ્ગાએ ઑનલાઈન ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે ઉદ્ધવ ઠાકરેએ કોરોના પ્રોટોકૉલને તોડ્યો છે અને નિયમોનુ ઉલ્લંઘન કરીને સમર્થકો સાથે મુલાકાત કરી. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ઠાકરે કોરોના સંક્રમિત છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આ અંગે પુષ્ટિ કરવામાં આવી છે. ખુદ ઠાકરેએ કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે રાજ્યમાં રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી આવાસ ખાલી કરી દીધુ છે અને હવે તેઓ માતોશ્રીમાં શિફ્ટ થઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્યમંત્રી આવાસની બહાર આવ્યા ત્યારે તેઓ મોટી સંખ્યામાં સમર્થકો સાથે જોવા મળ્યા હતા. જે બાદ બીજેપી નેતા તજિન્દર બગ્ગાએ તેમની વિરુદ્ધ માલાબાર હિલ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે. બગ્ગાએ ફરિયાદની કોપી સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના પ્રોટોકોલ હેઠળ દર્દી કોઈને મળી શકતો નથી અને તેણે આઈસોલેશનમાં રહેવું જોઈએ પરંતુ સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોના પ્રોટોકોલ તોડીને પોતાના સમર્થકોને મળ્યા હતા. ભાજપના નેતા અમિત માલવિયાએ પણ આ અંગે સવાલો ઉઠાવ્યા છે.
અમિત માલવિયાએ બુધવારે એક ટ્વિટ પણ કર્યુ. તેમણે લખ્યુ કે અમને કહેવામાં આવ્યુ હતુ કે ઉદ્ધવ ઠાકરે કોરોના સંક્રમિત છે પરંતુ આ પછી તેઓ શરદ પવારને તેમના ઘરે મળ્યા, લોકો સાથે જોવા મળ્યા. તેમણે પોતાના ઘરની બહાર નહોતુ આવવુ જોઈતુ. તમને જણાવી દઈએ કે શિવસેનાના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ જે રીતે વિદ્રોહી સ્વર બતાવ્યા છે, તે પછી રાજ્યની મહા વિકાસ અઘાડી સરકાર મુશ્કેલીમાં છે. એકનાથ શિંદે લગભગ 45 ધારાસભ્યો સાથે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં છે. તે ઈચ્છે છે કે શિવસેના કોંગ્રેસ-એનસીપી સાથેનુ ગઠબંધન ખતમ કરે.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
