દિગ્વિજય સિંહના ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદનું અનામત અંગે મોટુ નિવેદન
પોતાના નિવેદનો માટે હંમેશા સમાચારોમાં છવાયેલા રહેતા દ્વારકા શારદાપીઠ અને જ્યોતિપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ હવે અનામત સામે પણ મોરચો ખોલ્યો છે.
પોતાના નિવેદનો માટે હંમેશા સમાચારોમાં છવાયેલા રહેતા દ્વારકા શારદાપીઠ અને જ્યોતિપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ હવે અનામત સામે પણ મોરચો ખોલ્યો છે. અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયન સામે બોલ્યા બાદ હવે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ અનામતને સંપૂર્ણપણે ખતમ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યુ કે તેના બદલે સમાજના દરેક વર્ગને પ્રગતિની સમાન તક આપીને સમાજ સેવાને યોગ્ય બનાવવા જોઈએ. તેનાથી જ સહુની ભલાઈ થશે.

વિશેષ સુવિધા મળે તેને કોણ હેરાન કરે
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે જે લોકોને શિક્ષણ, નોકરી, પ્રમોશનમાં અનામતની વિશેષ સુવિધા મળે છે તેમને કોણ હેરાન કરી શકે? શંકરાચાર્યએ સવાલ કર્યો છે કે જ્યારે લોકો અનામતનો લાભ લઈને મોટા મોટા પદો પર બેઠા છે તો શું તેમને હેરાન કરવા કોઈના માટે સંભવ છે? તેમના પર કોઈ કેવી રીતે અત્યાચાર કરી શકે છે?
બધાના કલ્યાણનું વિચારે નેતાઓ
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદના જણાવ્યા મુજબ આપણા નેતાઓએ દરેક વ્યક્તિ અને વર્ગના કલ્યાણ માટે વિચારવુ જોઈએ. નેતાઓએ માત્ર કોઈ વર્ગ વિશેષ તરફ ધ્યાન ન આપવુ જોઈએ. શંકરાચાર્યએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે અનામત સંપૂર્ણપણે સમાપ્ત થવુ જોઈએ અને સહુને પ્રગતિની સમાન તક આપીને સમાજ સેવા માટે યોગ્ય બનાવવા જોઈએ. તેમણે આગળ કહ્યુ કે જો કોઈ યોગ્યતા વિના અનામતના આધારે ડૉક્ટર બનશે તો તે પેટમાં કાતર જ છોડશે અને જો પ્રોફેસર બનાવીશુ તો તે ભણાવશે નહિ અને એન્જિનિયર બનાવીશુ તો પુલ પડાવશે. શંકરાચાર્યએ કહ્યુ છે કે તેમણે પણ યોગ્ય બનવા દો. તેમને પ્રતિસ્પર્ધામાં આગળ આવવા દો. ત્યારે જ તેમની પ્રગતિ થશે, તેમને માત્ર બેંક બનાવીને રાખવી તેમના પ્રત્યે અત્યાચાર કરવો થશે.
એસસી-એસટી એક્ટનો વિરોધ
કેન્દ્ર સરકાર દ્વારા એસસી-એસટી એક્ટમાં કરાયેલ સુધારાનો પણ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ ગયા શુક્રવારે વિરોધ કર્યો હતો. શંકરાચાર્યએ કેન્દ્રની ભાજપ સરકારને હિંદુ વિરોધી સુધી ગણાવી દીધી. તેમણે કહ્યુ હતુ કે આ રીતે સુધારા રૂપમાં લાવેલો એસસી-એસટી એક્ટ ભારતીય સમાજ માટે વિઘટનનું કારણ બનશે. તેમણે કહ્યુ હતુ કે આ કાયદાથી જાતિગત ભેદભાવ વધશે અને સમાજ પાછળ ધકેલાઈ જશે. સમાજ જો પાછળ ધકેલાશે તો દેશ પણ આગળ નહિ વધી શકે. તમને જણાવી દઈએ કે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પોતાના ધાર્મિક ગુરુ માને છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી






Click it and Unblock the Notifications
