નિર્દોષ લોકોને મારી રહ્યું છે પાક, ક્યાં છે મોદીની 56 ઇંચની છાતી!
નવી દિલ્હી, સરહદ પર પાકિસ્તાન તરફથી થઇ રહેલા સતત સીઝફાયરના ઉલ્લંઘન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. ગુલામ નબી આઝાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા જણાવ્યું છે કે આજે જ્યારે પાકિસ્તાન તરફથી સીઝફાયરમાં નિર્દોષ લોકોના મોત થઇ રહ્યા છે. એવામાં વડાપ્રધાન પાકિસ્તાનને કડક જવાબ શા માટે નથી આપતા? તેમણે જણાવ્યું કે ખબર નથી હવે 56 ઇંચની છાતી ક્યાં છે, હવે કોઇ આંખથી આંખ મિલાવીને વાત કેમ નથી કરતું?
ગુલામ નબી આઝાદે જણાવ્યું કે વડાપ્રધાને લોકસભા ચૂંટણી દરમિયાન માત્ર ભાષણબાજી જ કરી હતી. વડાપ્રધાન ચૂંટણી પહેલા કરેલા પોતાના વચનો ભૂલી ગયા છે જેમાં તેમણે જણાવ્યું હતું કે એનડીએ સરકાર બન્યા બાદ સીઝફાયર ઉલ્લંઘન બંધ થઇ જશે. તેમણે જણાવ્યું કે એનડીએ સરકારની નિષ્ફળતા આનાથી જ સાબિત થાય છે જ્યારે ઓગષ્ટ મહિનામાં બીએસએફના જનરલ ડાયરેક્ટરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સીમા પર 1971 બાદ પાકિસ્તાન તરફથી અત્યાર સુધી સૌથી ભારે ગોળીબાર થયો છે.

બીજી તરફ ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને સખત શબ્દોમાં સીઝફાયર ઉલ્લંઘનને તુરંત રોકવા માટે જણાવ્યું છે. રાજનાથ અનુસાર, પાકિસ્તાને હવે સમજવું જોઇએ કે ભારતમાં હવે જમાનો બદલાઇ ગયો છે. સીમા પર વારંવાર થઇ રહેલા સીઝફાયર ઉલ્લંઘનને સાંખી લેવામાં આવશે નહીં.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
