પીએમ મોદીએ CBIની અખંડતા દફન કરી દીધીઃ સીબીઆઈમાં ઘમાસાણ પર કોંગ્રેસ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર હુમલો કરતાં ટ્વિટ કર્યુ, ‘મોદી સરકારે સીબીઆઈની સ્વતંત્રતા છીનવી છે.
સીબીઆઈની અંદર ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની છુટ્ટી કરી દેવામાં આવી છે. બંને અધિકારીઓને છુટ્ટી પર મોકલાયા બાદ તેમના સીબીઆઈ મુખ્યાલય સ્થિત કાર્યાલયોને સીલ કરી દેવામાં આવ્યા છે જ્યારે જોઈન્ટ ડાયરેક્ટર એમ નાગેશ્વર રાવને સીબીઆઈના વચગાળાના નિર્દેશક બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી આ નોટિફિકેશન જારી કરવામાં આવ્યુ છે. વળી, સમગ્ર ઘટનાક્રમ અંગે કોંગ્રેસે મોદી સરકારને ઘેરી છે.

‘મોદી સરકારે સીબીઆઈની સ્વતંત્રતા છીનવી'
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર હુમલો કરતાં ટ્વિટ કર્યુ, ‘મોદી સરકારે સીબીઆઈની સ્વતંત્રતા છીનવી છે, સીબીઆઈની વ્યવસ્થિત બરબાદી અને બદનામી સંપૂર્ણપણે થઈ ગઈ છે. એક મુખ્ય તપાસ એજન્સી, સીબીઆઈની અખંડતા, દ્રઢતા અને વિશ્વસનીયતાને દફન કરવાનું પ્રધાનમંત્રીએ સુનિશ્ચિત કરી દીધુ છે.'
|
સીબીઆઈના ઘમાસાણ પર કોંગ્રેસનો પીએમ મોદી પર હુમલો
સુરજેવાલાએ વધુ એક ટ્વિટ કર્યુ, ‘પ્રધાનમંત્રી મોદી સીબીઆઈ નિર્દેશકને ડિસમિસ કરવા માટે જે સીધે સીધુ નથી કરી શકતા, ગુપ્ત રીતે અને ચૂપચાપ કરવા ઈચ્છે છે. મોદી સરકાર અને ભાજપની ગંભીર ગુનાહિત કેસોની તપાસ અવરોધવાની આદત જ આ બધાનું મોટુ કારણ છે.'

સુરજેવાલાએ સીબીઆઈ નિર્દેશકને હટાવવા પર ઉઠાવ્યા સવાલ
સુરજેવાલાએ સવાલ ઉઠાવતા કહ્યુ કે શું રાફેલ ગોટાળામાં ભ્રષ્ટાચારની તપાસ કરવામાં ઉત્સુકતા બતાવવાના કારણે સીબીઆઈ નિર્દેશકને કાઢી મૂકવામાં આવ્યા છે? તમને જણાવી દઈએ કે આલોક વર્માની પહેલા સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની મંગળવારે છુટ્ટી કરી દેવામાં આવી હતી.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
