પીએમ મોદીએ CBIની અખંડતા દફન કરી દીધીઃ સીબીઆઈમાં ઘમાસાણ પર કોંગ્રેસ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર હુમલો કરતાં ટ્વિટ કર્યુ, ‘મોદી સરકારે સીબીઆઈની સ્વતંત્રતા છીનવી છે.
સીબીઆઈની અંદર ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની છુટ્ટી કરી દેવામાં આવી છે. બંને અધિકારીઓને છુટ્ટી પર મોકલાયા બાદ તેમના સીબીઆઈ મુખ્યાલય સ્થિત કાર્યાલયોને સીલ કરી દેવામાં આવ્યા છે જ્યારે જોઈન્ટ ડાયરેક્ટર એમ નાગેશ્વર રાવને સીબીઆઈના વચગાળાના નિર્દેશક બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી આ નોટિફિકેશન જારી કરવામાં આવ્યુ છે. વળી, સમગ્ર ઘટનાક્રમ અંગે કોંગ્રેસે મોદી સરકારને ઘેરી છે.

‘મોદી સરકારે સીબીઆઈની સ્વતંત્રતા છીનવી'
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર હુમલો કરતાં ટ્વિટ કર્યુ, ‘મોદી સરકારે સીબીઆઈની સ્વતંત્રતા છીનવી છે, સીબીઆઈની વ્યવસ્થિત બરબાદી અને બદનામી સંપૂર્ણપણે થઈ ગઈ છે. એક મુખ્ય તપાસ એજન્સી, સીબીઆઈની અખંડતા, દ્રઢતા અને વિશ્વસનીયતાને દફન કરવાનું પ્રધાનમંત્રીએ સુનિશ્ચિત કરી દીધુ છે.'
|
સીબીઆઈના ઘમાસાણ પર કોંગ્રેસનો પીએમ મોદી પર હુમલો
સુરજેવાલાએ વધુ એક ટ્વિટ કર્યુ, ‘પ્રધાનમંત્રી મોદી સીબીઆઈ નિર્દેશકને ડિસમિસ કરવા માટે જે સીધે સીધુ નથી કરી શકતા, ગુપ્ત રીતે અને ચૂપચાપ કરવા ઈચ્છે છે. મોદી સરકાર અને ભાજપની ગંભીર ગુનાહિત કેસોની તપાસ અવરોધવાની આદત જ આ બધાનું મોટુ કારણ છે.'

સુરજેવાલાએ સીબીઆઈ નિર્દેશકને હટાવવા પર ઉઠાવ્યા સવાલ
સુરજેવાલાએ સવાલ ઉઠાવતા કહ્યુ કે શું રાફેલ ગોટાળામાં ભ્રષ્ટાચારની તપાસ કરવામાં ઉત્સુકતા બતાવવાના કારણે સીબીઆઈ નિર્દેશકને કાઢી મૂકવામાં આવ્યા છે? તમને જણાવી દઈએ કે આલોક વર્માની પહેલા સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની મંગળવારે છુટ્ટી કરી દેવામાં આવી હતી.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
