આજથી શરુ થઈ રહી છે કોંગ્રેસની ચિંતન શિબિર, સાંપ્રદાયિક ધ્રુવીકરણ, ખેડૂતો મુદ્દે ચર્ચા
કોંગ્રેસનુ આજથી ત્રણ દિવસીય ચિંતન શિબિર શરુ થવા જઈ રહ્યુ છે.
ઉદયપુરઃ કોંગ્રેસનુ આજથી ત્રણ દિવસીય ચિંતન શિબિર શરુ થવા જઈ રહ્યુ છે. આજે ઉદયપુર ચર્ચાનુ કેન્દ્ર રહેવાનુ છે. અહીં પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. ચિંતન શિબિરમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ, ખેડૂતોના મુદ્દા, પાર્ટીને મજબૂત કરવાના મુદ્દા અને આગામી ચૂંટણી તારીખને લઈને ચર્ચા થશે. સૂત્રો મુજબ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી પાર્ટીના નેતાઓને સંબોધિત કરશે. ચિંતન શિબિરમાં 6 જૂથો બનાવવામાં આવ્યા છે. દરેક જૂથમાં 60-70 લોકો હશે. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધ, પૂર્વોત્તર રાજ્યોની સ્થિતિ, જમ્મુ કાશ્મીરનો મુદ્દો અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ પર વાત કરશે.

આ ઉપરાંત શિબિરમાં જાહેર ક્ષેત્રે ડિસઇન્વેસ્ટમેન્ટ, વધતી જતી મોંઘવારી, લઘુમતીઓના પ્રશ્નો, મહિલાઓનો મુદ્દો, યુવાનોનો મુદ્દો અને નવી શિક્ષણ નીતિ અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. કૃષિ સમિતિ એમએસપી એક્ટ, લોન માફ કરવા અને ઘઉંના ભાવ મુદ્દે ચર્ચા કરશે. સાથે જ સંગઠન સમિતિ રાષ્ટ્રીય સ્તર, રાજ્ય સ્તર, જિલ્લા સ્તર, બ્લોક સ્તરે સુધારા અંગે ચર્ચા કરશે. આ સિવાય સૌથી મહત્વનો મુદ્દો એક પરિવાર એક ટિકિટનો મુદ્દો છે જેને લઈને પાર્ટીની અંદર એજન્ડા પર ચર્ચા થઈ શકે છે.
કોંગ્રેસ પાર્ટીના એક સક્રિય સભ્યએ જણાવ્યું કે આ ચિંતન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય 2024ની લોકસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ ચિંતન શિબિરમાં પાર્ટીનો એક્શન પ્લાન નક્કી કરવામાં આવશે અને પાર્ટીનું સંગઠન કેવી રીતે મજબુત કરવું તેની ચર્ચા કરવામાં આવશે. ચિંતન શિબિર પહેલા સોનિયા ગાંધી શિબિરને સંબોધશે અને તે પછી બીજા દિવસે પણ ચર્ચા ચાલુ રહેશે. આ પછી રાહુલ ગાંધી ચિંતન શિબિરને સંબોધિત કરશે. છેલ્લા દિવસે સોનિયા ગાંધીના સંબોધનથી શિબિરનું સમાપન થશે.
-
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર











Click it and Unblock the Notifications
