આજથી શરુ થઈ રહી છે કોંગ્રેસની ચિંતન શિબિર, સાંપ્રદાયિક ધ્રુવીકરણ, ખેડૂતો મુદ્દે ચર્ચા
કોંગ્રેસનુ આજથી ત્રણ દિવસીય ચિંતન શિબિર શરુ થવા જઈ રહ્યુ છે.
ઉદયપુરઃ કોંગ્રેસનુ આજથી ત્રણ દિવસીય ચિંતન શિબિર શરુ થવા જઈ રહ્યુ છે. આજે ઉદયપુર ચર્ચાનુ કેન્દ્ર રહેવાનુ છે. અહીં પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. ચિંતન શિબિરમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ, ખેડૂતોના મુદ્દા, પાર્ટીને મજબૂત કરવાના મુદ્દા અને આગામી ચૂંટણી તારીખને લઈને ચર્ચા થશે. સૂત્રો મુજબ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી પાર્ટીના નેતાઓને સંબોધિત કરશે. ચિંતન શિબિરમાં 6 જૂથો બનાવવામાં આવ્યા છે. દરેક જૂથમાં 60-70 લોકો હશે. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધ, પૂર્વોત્તર રાજ્યોની સ્થિતિ, જમ્મુ કાશ્મીરનો મુદ્દો અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ પર વાત કરશે.
આ ઉપરાંત શિબિરમાં જાહેર ક્ષેત્રે ડિસઇન્વેસ્ટમેન્ટ, વધતી જતી મોંઘવારી, લઘુમતીઓના પ્રશ્નો, મહિલાઓનો મુદ્દો, યુવાનોનો મુદ્દો અને નવી શિક્ષણ નીતિ અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. કૃષિ સમિતિ એમએસપી એક્ટ, લોન માફ કરવા અને ઘઉંના ભાવ મુદ્દે ચર્ચા કરશે. સાથે જ સંગઠન સમિતિ રાષ્ટ્રીય સ્તર, રાજ્ય સ્તર, જિલ્લા સ્તર, બ્લોક સ્તરે સુધારા અંગે ચર્ચા કરશે. આ સિવાય સૌથી મહત્વનો મુદ્દો એક પરિવાર એક ટિકિટનો મુદ્દો છે જેને લઈને પાર્ટીની અંદર એજન્ડા પર ચર્ચા થઈ શકે છે.
કોંગ્રેસ પાર્ટીના એક સક્રિય સભ્યએ જણાવ્યું કે આ ચિંતન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય 2024ની લોકસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ ચિંતન શિબિરમાં પાર્ટીનો એક્શન પ્લાન નક્કી કરવામાં આવશે અને પાર્ટીનું સંગઠન કેવી રીતે મજબુત કરવું તેની ચર્ચા કરવામાં આવશે. ચિંતન શિબિર પહેલા સોનિયા ગાંધી શિબિરને સંબોધશે અને તે પછી બીજા દિવસે પણ ચર્ચા ચાલુ રહેશે. આ પછી રાહુલ ગાંધી ચિંતન શિબિરને સંબોધિત કરશે. છેલ્લા દિવસે સોનિયા ગાંધીના સંબોધનથી શિબિરનું સમાપન થશે.