Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આપ અને કોંગ્રેસમાં ગઠબંધન નહીં થઇ શકે, સંજય સિંહએ કારણ જણાવ્યું

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા ગઠબંધનની ખબરો પર સંજય સિંહએ સાફ શબ્દોમાં જણાવ્યું છે કે કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં થાય.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા ગઠબંધનની ખબરો પર સંજય સિંહએ સાફ શબ્દોમાં જણાવ્યું છે કે કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં થાય. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસ અંદરખાનેથી ભાજપને ફાયદો પહોંચાડી રહી છે. તેમને એવું પણ કહ્યું કે કોંગ્રેસ અવ્યવહારિક માંગ કરી રહી હતી, જે સંભવ જ નથી. તેવી સ્થિતમાં પાર્ટી એકલા હાથે જ દિલ્હીની 7 સીટો પર ચૂંટણી લડશે. સંજય સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પંજાબમાં અમારી પાસે 4 સાંસદ અને 20 વિધાયકો છે.

Sanjay Singh

સંજય સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પંજાબમાં કોંગ્રેસ સીટ શેર કરવા નથી માંગતી. તેવી જ સ્થિતિ હરિયાણા, ગોવા અને ચંડીગઢમાં પણ છે. તેમને આગળ કહ્યું કે દિલ્હીમાં કોંગ્રેસ પાસે કોઈ જ એમએલએ અને એમપી નથી, તેમ છતાં તેઓ ત્રણ સીટોની માંગણી કરી રહ્યા હતા. એટલા માટે ગઠબંધન સંભવ નથી. દિલ્હીમાં જો વર્ષ 2014 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપાએ અહીં બધી જ 7 સીટો પર કબ્જો કર્યો હતો.

આ પણ વાંચો: પીએમની રેસમાં રાહુલ નથી, મને ખબર છે કોણ પ્રધાનમંત્રી બનશેઃ શરદ પવાર

જો વોટ શેરની વાત કરવામાં આવે તો ભાજપનો વોટ શેર 46.63 ટકા હતો જયારે આમ આદમીનો વોટ શેર 33.08 ટકા અને કોંગ્રેસનો 15.2 ટકા વોટ શેર છે. પરંતું જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડે તો તેઓ ભાજપ કરતા પણ વધારે આગળ નીકળી શકે છે.

આ પણ વાંચો: પીએમ મોદીના પાકિસ્તાન સાથે ગાઢ સંબંધો, જીત પર ફૂટશે ફટાકડાઃ કેજરીવાલ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X