કોંગ્રસ નેેતા નવજોત સિંહ સિદ્ધુએ પોતાના ઘર પર લગાવ્યો કાળો વાવટો, જાણો કારણ
કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં મંગળવારે પટિયાલામાં તેમના ઘરની છત પર કાળો વાવટો લગાવ્યો હતો. મીડિયામાં આ ઘટનાના વીડિયોમાં નવજોતસિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત ક
કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં મંગળવારે પટિયાલામાં તેમના ઘરની છત પર કાળો વાવટો લગાવ્યો હતો. મીડિયામાં આ ઘટનાના વીડિયોમાં નવજોતસિંહ સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર તેમની છત પર કાળો ધ્વજ લગાવતા જોવા મળી રહ્યા છે. નવજોતસિંહ સિદ્ધુની પુત્રી રાબિયાએ પણ અમૃતસર સ્થિત તેમના નિવાસ સ્થા પર કાળો ધ્વજ લગાડ્યો હતો.
નવજોત અને તેમની પત્નીએ ધ્વજ વગાડતાં નિહાલ સત્ શ્રી અકાલના પણ જય જયકાર કર્યા હતા અને ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું. જોકે તેમણે મીડિયાને કંઈ પણ કહેવાની ના પાડી હતી.
#WATCH Punjab MLA Navjot Singh Sidhu puts up a black flag at his residence in Patiala in support of farmers protesting against the three farm laws pic.twitter.com/DsfcxWd45N
— ANI (@ANI) May 25, 2021
કેન્દ્રિય કૃષિ કાયદાના વિરોધમાં પશ્ચિમ યુપી, હરિયાણા, રાજસ્થાન અને પંજાબના લાખો ખેડુતો દિલ્હી બોર્ડર પર એકઠા થયા છે. સરકાર અને ખેડુતો વચ્ચે કૃષિ કાયદાને લઈને અનેક તબક્કાની વાટાઘાટો નિષ્ફળ રહી છે. તે જ સમયે, ખેડૂત નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર આ કાયદા પાછા નહીં લે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.