Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'સનાતન કંઈ નથી, સનાતન છે તો જાતિ છે, જાતિ જ...', કોંગ્રેસ નેતા ઉદિત રાજના નિવેદનથી હોબાળો

Sanatan Dharma Row: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના રાજકીય ઉથલપાથલ વચ્ચે સનાતન ધર્મનો વિવાદ અટકતો જણાતો નથી. તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર થયેલા હોબાળા બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું કે ધર્મ માત્ર સનાતન છે, આ સિવાય બાકીના બધા માત્ર સંપ્રદાયો અને પૂજા પદ્ધતિઓ છે.

હવે સનાતન ધર્મના આ વિવાદમાં કોંગ્રેસ પણ કૂદી પડી છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ લોકસભા સાંસદ ઉદિત રાજે સીએમ યોગી આદિત્યનાથના નિવેદન બાદ કહ્યું કે સનાતન ધર્મ જાતિવાદને વધારે છે.

Udit Raj

મંગળવારે મીડિયા સાથે વાત કરતા ઉદિત રાજે કહ્યું, 'સનાતન કંઈ નથી. સનાતન છે તો જાતિ છે, જાતિ જ શાસ્વત છે, સનાતન કંઈ નથી. આ લોકો આ મુદ્દે આપણને મૂર્ખ બનાવી રહ્યા છે અને સનાતન ધર્મના નામે જનતાના મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસના અન્ય એક નેતા અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ પણ સનાતન ધર્મ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના માટે તેમની વિરુદ્ધ યુપીના લખનઉમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રિયંક ખડગેએ પણ ઉદયનિધિ સ્ટાલિનનું સમર્થન કર્યું હતું.

સનાતન ધર્મ અંગેનો વિવાદ સૌપ્રથમ ત્યારે શરૂ થયો જ્યારે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ સાથે કરી અને કહ્યું કે આ ધર્મનો માત્ર વિરોધ જ નહીં પરંતુ તેને ખતમ કરવો જોઈએ.

ઉદયનિધિના આ નિવેદનથી ભારે રાજકીય ખળભળાટ મચી ગયો હતો અને ભાજપ સહિત હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. આ પછી તેમની સામે લખનઉમાં પણ કેસ નોંધવામાં આવ્યો હતો. હાલમાં ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને કોર્ટે તેમને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X