'સનાતન કંઈ નથી, સનાતન છે તો જાતિ છે, જાતિ જ...', કોંગ્રેસ નેતા ઉદિત રાજના નિવેદનથી હોબાળો
Sanatan Dharma Row: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના રાજકીય ઉથલપાથલ વચ્ચે સનાતન ધર્મનો વિવાદ અટકતો જણાતો નથી. તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર થયેલા હોબાળા બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું કે ધર્મ માત્ર સનાતન છે, આ સિવાય બાકીના બધા માત્ર સંપ્રદાયો અને પૂજા પદ્ધતિઓ છે.
હવે સનાતન ધર્મના આ વિવાદમાં કોંગ્રેસ પણ કૂદી પડી છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ લોકસભા સાંસદ ઉદિત રાજે સીએમ યોગી આદિત્યનાથના નિવેદન બાદ કહ્યું કે સનાતન ધર્મ જાતિવાદને વધારે છે.

મંગળવારે મીડિયા સાથે વાત કરતા ઉદિત રાજે કહ્યું, 'સનાતન કંઈ નથી. સનાતન છે તો જાતિ છે, જાતિ જ શાસ્વત છે, સનાતન કંઈ નથી. આ લોકો આ મુદ્દે આપણને મૂર્ખ બનાવી રહ્યા છે અને સનાતન ધર્મના નામે જનતાના મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસના અન્ય એક નેતા અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેએ પણ સનાતન ધર્મ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના માટે તેમની વિરુદ્ધ યુપીના લખનઉમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રિયંક ખડગેએ પણ ઉદયનિધિ સ્ટાલિનનું સમર્થન કર્યું હતું.
સનાતન ધર્મ અંગેનો વિવાદ સૌપ્રથમ ત્યારે શરૂ થયો જ્યારે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ સાથે કરી અને કહ્યું કે આ ધર્મનો માત્ર વિરોધ જ નહીં પરંતુ તેને ખતમ કરવો જોઈએ.
ઉદયનિધિના આ નિવેદનથી ભારે રાજકીય ખળભળાટ મચી ગયો હતો અને ભાજપ સહિત હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. આ પછી તેમની સામે લખનઉમાં પણ કેસ નોંધવામાં આવ્યો હતો. હાલમાં ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને કોર્ટે તેમને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
