હવે રાહુલ બાબાને બચાવવા માટે રણનીતિ પર કોંગ્રેસ નેતાઓનું ફોકસ

125 વર્ષ જુની કોંગ્રેસ પાર્ટી કદાચ હવે નેતૃત્વની નબળાઇનો સામનો કરી રહ્યો છે અને આ દરમિયાન એક્ઝિટ પોલના પરિણામ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીની સાથે સાથે રાહુલ ગાંધી પર સવાલ ઉભા કરે છે.
એક્ઝિટ પોલને ખોટો ગણાવવો રણનીતિનો ભાગ
રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ તરફથી ચૂંટણી પ્રચારનો ચહેરો બનીને ઉભરી હતા અને એક્ઝિટ પોલના પરિણામ જો સાચા સાબિત થયા તો કોંગ્રેસને ઇતિહાસની સૌથી મોટી હારનો સામનો કરવા માટે મજબૂર થવું પડશે.
2009ની લોકસભા ચૂંટણીમાં 206 સીટો પ્રાપ્ત કરનાર કોંગ્રેસ ફક્ત બેવડી સંખ્યા સુધી પહોંચતી નજર આવી રહી છે. એવામાં બધા વરિષ્ઠ કોંગ્રેસી નેતા એક્ઝિટ પોલને ખોટો ગણાવીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સાખને બચાવવામાં જોડાઇ ગયા છે.
હજુ સુધી પણ આશા પણ અમર
વરિષ્ઠ કોંગ્રેસી નેતા સત્યવ્રત ચતુર્વેદીનું આ મુદ્દે કહેવું છે કે ચૂંટણી પરિણામો જે પણ હોય, તેની જવાબદારી પાર્ટી નેતૃત્વ અને બધા કાર્યકર્તાઓની છે. સત્યવ્રત ચર્તુવેદીના અનુસાર પહેલાં પણ જ્યારે-જ્યારે કાર્યકર્તાઓને તેનો શ્રેય આપવામાં આવ્યો છે.
હવે જો પાર્ટીને પરિણામ તેની આશાના અનુરૂપ પ્રાપ્ત ન થયા તો પણ પાર્ટીના નેતૃત્વ અને કાર્યકર્તાઓની જવાબદારી બરાબરીની રહેશે. કોઇને પણ નજર અંદાજ કર્યા વિના આગળ વધવું ઘણું મુશ્કેલ છે.
સોનિયા તૈયાર હારની જવાબદારી માટે!
સત્યવ્રત ચતુર્વેદી પહેલાં પાર્ટીના વરિષ્ઠ નેતા શકીલ અહેમદે કહ્યું હતું કે પાર્ટીના પરિણામ સંપૂર્ણપણે પાર્ટીની જવાબદારી હશે. તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીને વિશ્વાસ છે કે એક્ઝિટ પોલ જે પણ કહે,16 મે બાદ કોંગ્રેસ જ કેન્દ્રમાં સરકાર બનાવશે.
મનુ સિંઘવીના અનુસાર જો કોંગ્રેસ સરકાર બને છે તો રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન હશે. સત્યવ્ર ચતુર્વેદીના અનુસાર આ સત્ય છે કે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર અભિયાનનું નેતૃત્વ કર્યું હતું પરંતુ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધી છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ ભાજપના તે નિવેદનને પહેલાંથી જ નકારી કાઢ્યું છે જેમાં પાર્ટી મનમોહન સિંહની કરી હતી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
