For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથસિંહ બોલ્યા 'કોંગ્રેસ પોતાનો સંયમ ગુમાવી રહી છે'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 એપ્રિલ: 2જી અને કોલગેટ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ટીકા ટીપ્પણીઓનો દૌર ચાલુ છે. હવે બીજેપી અધ્યક્ષ રાજનાથસિંહે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પોતાનો સંયમ ગુમાવી બેઠી છે.

જોકે રાજનાથસિંહ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની એ ટિપ્પણી પર પ્રહાર કરી રહ્યા હતા જેમાં સોનિયાએ કહ્યું હતું કે જો વિપક્ષ મનમોહનસિંહનું રાજીનામું માગે છે તો માંગવા દો. તેમણે જણાવ્યું કે 'સત્તાપક્ષ પોતાનો સંયમ ખોઇ બેઠો છે. અમે વિપક્ષમાં છીએ અને તેનું દાયિત્વ અદા કરીશું.'

સોનિયા ગાંધી પર નિશાનો સાધતા તેમણે જણાવ્યું કે 'અમારી વાતો તથ્યો પર આધારીત હોય છે. સરકારે પોતાનું સંયમ ના ગુમાવવું જોઇએ. પછી ભલેને મામલો જેપીસીનો હોય કે પછી બીજો કોઇ.'

ઉલ્લેખનીય છે કે કોલસા બ્લોક ફાળવણીમાં અનિયમિતતાને લઇને મંગળવારે સંસદના બંને ગૃહોમાં કામકાજ ઠપ થઇ ગયું હતું. વિપક્ષે આ મુદ્દા પર પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કાનૂન મંત્રી અશ્વિની કુમારનુ રાજીનામુ માગ્યું હતું, જેને કોંગ્રેસે રદીયો આપી દીધો હતો.

સીબીઆઇ રિપોર્ટમાં છેડછાડના મામલે બીજેપી નેતા રવિશંકર પ્રસાદે પીએમના રાજીનામાની સાથે કાનૂનમંત્રીને પણ હટાવવાની માંગ કરી તો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમની માંગને ઠુકરાવી દીધી.

English summary
congress lost its control said BJP Chief rajnath singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X