For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'એસી કારની બહાર નથી આવતા કોંગ્રેસના મોટા નેતાઓ'

|
Google Oneindia Gujarati News

sajjan-singh-varma
ભોપાલ, 10 નવેમ્બરઃ શુક્રવારે કોંગ્રેસના આલાકમાને ટોચના નેતાઓ સાથે સૂરજકૂંડમા ચિંતન બેઠકમાં કોંગ્રેસીઓને સલાહ આપી હતી કે નેતા અને કાર્યકર્તાઓ સરકારની મજબૂરીઓને સમજે. સોનિયાની આ સલાહને હજૂ 24 કલાક પણ નથી થયાં ત્યાં કોંગ્રેસના જ નેતાએ આ સલાહના ધજાગરા ઉડાડ્યા છે. મધ્યપ્રદેશના જાણીતા કોંગ્રેસ સાંસદ સજ્જન સિંહ વર્માએ પોતાની પાર્ટીઓના નેતાઓ અંગે ખરી ખોટી કહીં છે.

ગુસ્સે ભરાયેલા સાંસદ સજ્જન સિંહ વર્મા પાર્ટીના નેતાઓ પર તૂટી પડ્યાં. નેતઓની ટીકા કરી અને કાર્યકર્તાઓને એસી ગાડીઓમાં ફરનારા નેતાઓથી બચવાની સલાહ આપી દીધી. તેટલું જ નહીં સજ્જન સિંહ વર્માએ આરએસએસના ઘણા વખાણ કર્યા. સજ્જન સિંહે કહ્યું કે, દિલ્હીમાં બેસેલા કોંગ્રેસ નેતાઓની દુકાનદારી ચાલી રહી છે અને તેને કોઇ કષ્ટ થતું નથી.

આરએસએસના વખાણ કરતા તેમણે કહ્યું કે જો ચૂંટણી જીતવી હોય તો આરએસએસની જેમ કામ કરવું પડશે અને તેમના જેવો જૂસ્સો રાખવો પડશે. આરએસએસના કાર્યકર્તા આજે પણ ચણા ખાઇને મિશન 2014 માટે ગામોમાં નીકળી શકે છે, જ્યારે કોંગ્રેસના નેતાઓ એસીની બહાર આવતા નથી. જ્યાં સુધી કોંગ્રેસના મોટા નેતા જમીની કાર્યકર્તા સાથે વર્તાલાપ નહી કરે ત્યાં સુધી કોંગ્રેસનો માર્ગ કપરો છે. વર્માએ આ વાત મધ્યપ્રદેશના નીમચમાં એક કાર્યક્રમ દરમિયાન કહીં છે.

English summary
The Congress in Madhya Pradesh is finding it hard to swallow the speech by one of its MPs delivered at a workers congregation. MP Sajjan Singh Verma has spent several terms in the state assembly before graduating to the Lok Sabha in May 2008.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X