શું હિંદુત્વમાં તાલિબાનની શરૂઆત થઈ ચૂકી છે ? થરુરનો ભાજપને સવાલ
કોંગ્રેસના સાંસદ શશિ થરુરે થોડા દિવસો પહેલા એક નિવેદન આપ્યુ હતુ જે અંગે દેશભરમાં ચર્ચા છેડાઈ ગઈ હતી. કોંગ્રેસ સાંસદે કહ્યુ હતુ કે જો 2019 માં ફરીથી ભાજપ સત્તામાં આવશે તો દેશનું બંધારણ જોખમમાં મૂકાશે.
કોંગ્રેસના સાંસદ શશિ થરુરે થોડા દિવસો પહેલા એક નિવેદન આપ્યુ હતુ જે અંગે દેશભરમાં ચર્ચા છેડાઈ ગઈ હતી. કોંગ્રેસ સાંસદે કહ્યુ હતુ કે જો 2019 માં ફરીથી ભાજપ સત્તામાં આવશે તો દેશનું બંધારણ જોખમમાં મૂકાશે. તે બંધારણને બરબાદ કરી દેશે અને ભારત 'હિદુ પાકિસ્તાન' બની જશે. આ નિવેદન બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નવી જંગ છેડાઈ ગઈ હતી. ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ શશિ થરુરની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ શશિ થરુરના નિવેદનનો આકરો વિરોધ કર્યો હતો.

શશિ થરુરે ફરીથી કર્યો ભાજપ પર હુમલો
વળી, શશિ થરુરે વિરોધ કરનારા પર ફરીથી એકવાર હુમલો કર્યો છે અને કહ્યુ છે કે શું હિંદુત્વનાં તાલિબાનની શરૂઆત થઈ ચૂકી છે ? શશિ થરુરે આ વિવાદે એક પગલુ આગળ વધારતા વિરોધીઓ પર પલટવાર કર્યો છે. થરુરે કહ્યુ કે આ લોકો મને પાકિસ્તાન જતા રહેવાનું કહી રહ્યા છે. તેમને કોણે હક આપ્યો છે કે તે નક્કી કરશે કે હું તેમની જેમ હિંદુ નથી અને મને આ દેશમાં રહેવાનો અધિકાર નથી. શું તેમણે હિંદુત્વમાં તાલિબાનની શરૂઆત કરી દીધી છે.

શશિ થરુરના કાર્યાલય પર થયો હતો હુમલો
શશિ થરુરનું આ નિવેદન ત્યારે આવ્યુ જ્યારે સોમવારે ભાજપ કાર્યકર્તાઓએ કેરળ સ્થિત તેમના કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યુ હતુ અને થરુરનું પોસ્ટર કાળુ કરી દીધુ હતુ. ભાજપ કાર્યકર્તાએ શશિ થરુરની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. વળી, શશિ થરુરે આ હુમલા બાદ ભાજપ પર નિશાન સાધ્યુ હતુ.

‘મોટાભાગના હિંદુ એ જ કહેશે કે આ સંઘી ગુંડાઓ તેમનું પ્રતિનિધિત્વ નથી કરતા'
કોંગ્રેસ સાંસદે કહ્યુ કે તેમણે ઓફિસના ગેટ પર કાળુ કરી દીધુ. હોબાળો કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. લોકો બહાર પોતપોતાની ફરિયાદો અને યાચિકાઓ સાથે રાહ જોઈ રહ્યા હતા. એ લોકો મને પાકિસ્તાન જતા રહેવા માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. અમને બધાને ધમકી આપી છે. તેમણે ભાજપને પૂછ્યુ કે શું તેમણે હિંદુ રાષ્ટ્રનું સપનુ છોડી દીધુ છે. થરુરે કહ્યુ કે મોટાભાગના હિંદુ એ જ કહેશે કે આ સંઘી ગુંડાઓ તેમનું પ્રતિનિધિત્વ નથી કરતા.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
