હાથમાં પૂજાનું ફૂલ લઈને છેવટે રાહુલે કેમ કહ્યુ કે ‘હું છુ કૌલ બ્રાહ્મણ'?
રાજસ્થાનાં રાહુલ ગાંધીએ રેલી દરમિયાન કહ્યુ કે,‘હું કૌલ બ્રાહ્મણ છુ અને મારુ ગોત્ર દત્તાત્રેય છે.’
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની ઉલટી ગણતરી શરૂ થઈ ચૂકી છે. કોંગ્રેસ અને ભાજપ બંનેએ ચૂંટણી પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આ ક્રમમાં રાહુલ ગાંધીએ સોમવારે રાજસ્થાનમાં ત્રણ રેલીઓ કરી પરંતુ આ રેલીઓ પહેલા રાહુલ ગાંધીએ પહેલા અજમેર શરીફાં જઈને ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવી તો વળી તે બાદ પુષ્કરના બ્રહ્મા મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી. જ્યાં તેમણે પૂજા દરમિયાન કહ્યુ કે, 'હું કૌલ બ્રાહ્મણ છુ અને મારુ ગોત્ર દત્તાત્રેય છે.'

રાહુલનું ગોત્ર બતાવવા પાછળ બ્રાહ્મણ કાર્ડ?
ત્યારબાદ રાજકીય ગલીઓમાં તેમના ગોત્ર અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જો કે હજુ પણ વિરોધી પક્ષ રાહુલના બ્રાહ્મણ હોવા પર આંગળી ઉઠાવી રહ્યા છે પરંતુ રાજકારણની જાણકારી ધરાવતા લોકોએ કહ્યુ કે આ રાહુલનું બ્રાહ્મણ કાર્ડ છે કે જે તેમણે ચૂંટણી પહેલા રાજસ્થાનમાં ખેલ્યુ છે.

રાજસ્થાનમાં બ્રાહ્મણ નેતાઓનું લાંબા સમય સુધી રહ્યુ રાજ
વાસ્તવમાં રજવાડાઓની ધરતી રાજસ્થાન પર બ્રાહ્મણ નેતાઓનું લાંબા સમય સુધી રાજ રહ્યુ છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસ પાર્ટી અહીંના બ્રાહ્મણોની પહેલી પસંદ હતી પરંતુ સમય બદલાતા આ પ્રેમ ધૂંધળો થઈ ગયો. જેની પાછળનું કારણ કોંગ્રેસનું બ્રાહ્મણો પ્રત્યેનું ઉદાસીન વલણ અને રાજપૂત પ્રેમ રહ્યો છે. જો કે હવે લાગે છે કે કોંગ્રેસને આ વાત સમજમાં આવી ગઈ છે અને કદાચ એટલા માટે જ રાહુલ ગાંધીએ અહીં હાથમાં પૂજાના પુષ્પો લઈ પોતાના બ્રાહ્મણ હોવાની વાત કહી છે.

રાજસ્થાનમાં બ્રાહ્મણ મતદારોની સ્થિતિ
તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં 8 ટકા મતો બ્રાહ્મણોના છે. અહીંની લગભગ 30 વિધાનસભા સીટોનું ગણિત બ્રાહ્મણ બગાડી શકે છે એટલા માટે કોંગ્રેસે બ્રાહ્મણ કાર્ડનો દાવ ખેલ્યો છે. હાલમાં જ થયેલા ઘણા સર્વેએ સ્પષ્ટ કર્યુ છે કે અહીંના બ્રાહ્મણ વસુંધરા સરકારથી ખાસ ખુશ નથી અને આનો ફાયદો કોંગ્રેસ પક્ષ ઉઠાવવાની ઈચ્છા ધરાવે છે. પાર્ટી પાસે હાલમાં સીપી જોશી, ગિરિજા વ્યાસ અને રઘુ શર્મા જેવા બ્રાહ્મણ ચહેરા છે. એટલુ જ નહિ કોંગ્રેસે રાજસ્થાનમાં પાર્ટી પ્રભારીની કમાન અવિનાશ પાંડેના હાથમાં આપીને બ્રાહ્મણ વર્ગને ખુશ કરવાની કોશિશ કરી છે.

આઝાદી બાદ કોંગ્રેસના 5 બ્રાહ્મણ સીએમ
ઉલ્લેખનીય છે કે આઝાદી બાદથી લઈને 1990 સુધી અહીં પાંચ બ્રાહ્મણમ મુખ્યમંત્રી બન્યા. 1990માં હરિદેવ જોશી છેલ્લા બ્રાહ્મણ સીએમ હતા. એટલુ જ નહિ કોંગ્રેસે બ્રાહ્મણ સમાજમાંથી 20 લોકોને આ વખતે ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ગઈ ચૂંટણીમાં બ્રાહ્મણ સમાજને 17 ટિકિટ આપવામાં આવી હતી. હવે આ દાવનો ફાયદો કોંગ્રેસને મળે છે કે નહિ તે તો આવનારી ચૂંટણીનું પરિણામ જ બતાવશે.

આ છે રાજસ્થાનમાં બ્રાહ્મણ સીએમનો કાર્યકાળ
1949થી 1951 સુધી - હીરાલાલ શાસ્ત્રી
1951થી 1952 સુધી - જયનારાયણ વ્યાસ
માર્ચ 1952થી ઓક્ટોબર 1952 સુધી - ટીકારામ પાલીવાલ
નવેમ્બર 1952થી નવેમ્બર 1954 સુધી - જયનારાયણ વ્યાસ
ઓગસ્ટ 1973થી એપ્રિલ 1977 સુધી - હરિદેવ જોશી
માર્ચ 1985થી જાન્યુઆરી 1988 સુધી - હરિદેવ જોશી
ડિસેમ્બર 1989થી માર્ચ 1990 સુધી - હરિદેવ જોશી
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
