દુબઈમાં બોલ્યા રાહુલ ગાંધી- ભારતમાં આજે બેરોજગારી સૌથી મોટી સમસ્યા
ભારતમાં આજે બેરોજગારી સૌથી મોટી સમસ્યાઃ રાહુલ ગાંધી
દુબઈઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસીય દુબઈના પ્રવાસે ગયા છે. જ્યાં તેમણે એક કાર્યક્રમમાં ભાલ લઈ કેટલાક મુદ્દા પર પોતાની વાત રાખી હતી. રાહુલ ગાંધીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે યૂએઈ અને ભારતના લોકોને એક સાથે લાવનાર મૂલ્ય વિનમ્રતા અને સહનશીલતા છે. વિવિધ વિચારો, ધર્મો અને સમુદાયો માટે સહિષ્ણુતા છે. મને કહેતા બહુ દુખ થઈ રહ્યું છે કે ઘર પરત જવા પર આ સાઢા ચાર વર્ષની સહિષ્ણુતા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં આજે સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે. જેને આપણે ગંભીરતાથી લેવી જોઈએ. આપણે દુનિયાના બાકી ભાગને દેખાડવાની જરૂરત છે કે ન માત્ર અમે બેરોજગારીને હરાવી શકીએ છીએ બલકે ચીનને પણ પડકાર ફેંકી શકીએ છીએ. માત્ર એમ માનીને આપણે ભારત જેવા દેશને ક્યારેય ન ચલાવી શકીએ કે માત્ર એક વિચાર સાચો છે અને બાકી બધી વસ્તુ ખોટી છે. આજે મારા પ્રિય દેશ ભારતને રાજનૈતિક કારણોથી વિભાજીત કરવામાં આવી રહ્યો છે.
Congress President Rahul Gandhi in Dubai: The values that bring together the people of UAE and India are humility and tolerance; tolerance for different ideas, religions and communities. I'm sad to say that back home it is four and a half years of intolerance. pic.twitter.com/T4bDaxAJ8X
— ANI (@ANI) January 11, 2019
જણાવી દઈએ કે જ્યારે રાહુલ ગાંધી દુબઈ પહોંચ્યા તો એરપોર્ટ પર તેમનું જબરદસ્ત સ્વાગત થયું. એપોર્ટ પર રાહુલ-રાહુલના નારા લગાવવામાં આવ્યા. એટલું જ નહિ એરપોર્ટ પર હાજર કાર્યકર્તાઓ રાહુલ સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે રાહુલ ગાંધી દુબઈ ઉપરાંત અબુધાબી પણ જશે. જ્યાં તેઓ વિદ્યાર્થીઓ સિવાય ઉદ્યોગપતિઓને પણ સંબોધિત કરશે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનો આ પ્રવાસ ખાસ માનવામાં આવી રહ્યો છે. કેમ કે રાહુલ ગાંધી જ્યાં પણ જઈ રહ્યા છે ત્યાં મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે.
આ પણ વાંચો- ઈંગ્લિશમાં એક લાઈન પણ બોલી શકતા નથી પીએમ મોદીઃ મમતા બેનર્જી












Click it and Unblock the Notifications
