નોટબંધી ભૂલ નહિ, જનતા પર આક્રમણ હતુઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે નોટબંધી પર પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં નોટબંધી પર વાત કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે નોટબંધી પર પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં નોટબંધી પર વાત કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ. રાહુલે કહ્યુ કે, પીએમ મોદીએ કહ્યુ હતુ કે નોટબંધીથી ભ્રષ્ટાચાર ખતમ કરી દેશે, કાળુ નાણુ પાછુ આવી જશે. આજે નોટબંધી પર સરકારનો રિપોર્ટ આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બધા પૈસા પાછા આવી ગયા છે. પરંતુ આ નોટબંધીનું કોઈ પરિણામ ના નીકળ્યુ. પીએમ મોદી જનતાને જવાબ આપે.

પીએમ મોદી દેશની જનતાને બતાવે કે તેમણે નોટબંધીનો નિર્ણય કેમ લીધો. રાહુલ ગાંધીએ અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યો. રાહુલે કહ્યુ કે અમિત શાહ જે બેંકના ડાયરેક્ટર છે તે બેંકમાં નોટબંધી દરમિયાન 700 કરોડ રૂપિયાની કિંમતની જૂની નોટો બદલવામાં આવી. નોટબંધી એક સ્કેમ છે. દેશના 10-15 અમીરોના અને મોટા ભ્રષ્ટાચારીઓના કાળા નાણાં સફેદ કરવા માટે નોટબંધી કરવામાં આવી હતી.
પીએમ મોદી પર હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે નોટબંધી ભૂલ નહોતી, તે જનતા પર એક આક્રમણ હતુ. રાફેલ મુદ્દે સરકારને ઘેરતા રાહુલ ગાંધીએ ઘણા સવાલ ઉઠાવ્યા. રાહુલે કહ્યુ કે પીએમ મોદીએ અનિલ અંબાણીને ફાયદો કરાવવા માટે રાફેલ ડીલ પર સંયુક્ત સંસદીય કમિટી બનાવવાની માંગ પર કોઈ જવાબ ના આપ્યો પરંતુ જેટલીજી બ્લોગ પર લખી રહ્યા છે. અનિલ અંબાણી અને નરેન્દ્ર મોદીજી વચ્ચે શું ડીલ છે એ જણાવવામાં આવે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
