હિન્દુઓ પર વિવાદીત નિવેદન પર બોલ્યા કોંગ્રેસ અધ્યક્ષ, કહ્યું- રાજીનામુ આપી દઇશ, માફી નહી માંગુ
કર્ણાટક કોંગ્રેસ કમિટીના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ સતીશ જરકીહોલીએ હિન્દુઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જ્યારે તેમના નિવેદનનો વિરોધ શરૂ થયો ત્યારે તેમણે કહ્યું કે અમે માફી નહીં માંગીએ. સતીશ જરકીહોલીએ કહ્યું કે હું ખ
કર્ણાટક કોંગ્રેસ કમિટીના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ સતીશ જરકીહોલીએ હિન્દુઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જ્યારે તેમના નિવેદનનો વિરોધ શરૂ થયો ત્યારે તેમણે કહ્યું કે અમે માફી નહીં માંગીએ. સતીશ જરકીહોલીએ કહ્યું કે હું ખોટો છું તે બધાને સાબિત કરવા દો. જો હું ખોટો હોઉં તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ અને મારા નિવેદન બદલ માફી નહીં માંગું.
બીજી તરફ કર્ણાટક કોંગ્રેસ કમિટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે સતીશ જરકીહોલીનું નિવેદન તેમનો અંગત અભિપ્રાય છે કોંગ્રેસ પાર્ટીનો અભિપ્રાય નથી. આ અંગે અમે તેમની પાસેથી સ્પષ્ટતા માંગીશું. કોંગ્રેસ પાર્ટી તમામ ધર્મોનું સમર્થન કરે છે અને તેમના નિવેદન સાથે સહમત નથી.
સતીશ જરકીહોલીએ 'હિન્દુ' વિશે વિવાદાસ્પદ નિવેદન કરીને રાજકારણ ગરમાવ્યું છે. 'હિન્દુ' શબ્દ ક્યાંથી આવ્યો? તે પર્શિયામાંથી આવ્યો છે, તે પર્શિયન શબ્દ છે, તો તેનો ભારત સાથે શું સંબંધ છે? તમે 'હિન્દુ' કેવી રીતે બન્યા? વોટ્સએપ અને વિકિપીડિયા પર તપાસો. આ શબ્દ તમારો નથી. હિન્દુ નો મતલબ ભયંકર. જ્યારે આ શબ્દ તમારો નથી, તો પછી આટલો ઊંચો કેમ બેસાડી રાખ્યો છે?
સતીશ જરકીહોલીએ કહ્યું કે તમે ક્યાંક ધર્મ લાવીને ચર્ચા કરો છો. હિન્દુ શબ્દ આપણા પર થોપવામાં આવી રહ્યો છે. હિન્દુ શબ્દ ઈરાન અને ઈરાકમાંથી આવ્યો છે. હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો? તે પર્શિયાથી આવ્યો હતો. તમને આ શબ્દ કેવી રીતે મળ્યો? આની ચર્ચા થવી જોઈએ. આ શબ્દ તમારો નથી. જો તમે તેનો અર્થ સમજો છો, તો તમને શરમ આવશે. તેમણે કહ્યું કે જો હું ખોટો હોઉં, મેં ખોટું નિવેદન આપ્યું હોય તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ, પરંતુ હું મારા નિવેદન માટે મારી માફી માંગીશ નહીં.