રાહુલ ગાંધી મુદ્દે કોંગ્રેસની વિપક્ષને એક કરવાની કવાયત, જાણો શું હશે આગળનું પગલુ?

નવી દિલ્હી : કોંગ્રેસ સતત ભાજપ સરકારથી લોકશાહી પર ખતરો હોવાની વાત કરી રહી છે ત્યારે હવે સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવતા વિરોધ ઉગ્ર બનાવવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસ હવે મોટા આંદોલનની રણનીતિ બનાવી રહી છે. આ સંબંધમાં શુક્રવારે સાંજે પાર્ટીના ટોચના નેતાઓએ એક બેઠક યોજી હતી.
આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, રાજીવ રાજીવ, રાજીવ રાજપૂત સહિતના નેતા જોવા મળ્યા હતા. આ બેઠકમાં આનંદ શર્મા, અંબિકા સોની, મુકુલ વાસનિક, સલમાન ખુર્શીદ અને પવન કુમાર બંસલ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા હતા.
વિદેશમાં ભારતની લોકશાહી વિશે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે ગૃહમાં કોંગ્રેસને ઘેરી છે. ભાજપના નેતાઓ સતત તેમની માફી માંગવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન શુક્રવારે સંસદના નીચલા ગૃહે એક નોટિસ જારી કરીને જણાવ્યું કે, રાહુલ ગાંધીને દોષિત ઠેરવવાની તારીખથી લોકસભાના સભ્યપદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. આ સ્થિતિમાં કોંગ્રેસમાં હવે ભડકો થયો છે. કોંગ્રેસે સંસદમાં રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવાના નિર્ણયના વિરોધમાં દેશવ્યાપી આંદોલનનું આયોજન કર્યું છે. તેને સેવ ડેમોક્રેસી નામ આપવામાં આવ્યું છે.
કોંગ્રેસની આ બેઠક બાદ વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે, અમે રાહુલ ગાંધીની અયોગ્યતા પર રાજકીય વ્યૂહરચના પર ચર્ચા કરી છે. અભિષેક મનુ સિંઘવીએ સભ્યોને કાયદાકીય વ્યૂહરચના વિશે માહિતી આપી હતી. અમે આગામી દિવસોમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન કરીશુ.પાર્ટીએ તમામ વિપક્ષી નેતાઓને વિપક્ષી એકતા માટે હાકલ કરી છે.












Click it and Unblock the Notifications
