કુન્નુર હેલિકોપ્ટર ક્રેશ: પાયાવિહોણી અટકળો ન કરો, મૃતકોની ગરીમાં જાળવો: ભારતીય વાયુસેના
તમિલનાડુના કુન્નુર જિલ્લામાં લશ્કરી હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં CDS બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 સૈનિકોના મોત થયા હતા. આ ઘટનાથી દેશની જનતા સંપૂર્ણપણે આઘાતમાં છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનુ હેલિકોપ્ટર ક્રેશમાં નિ
તમિલનાડુના કુન્નુર જિલ્લામાં લશ્કરી હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં CDS બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 સૈનિકોના મોત થયા હતા. આ ઘટનાથી દેશની જનતા સંપૂર્ણપણે આઘાતમાં છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનુ હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયા બાદ કરોડો દેશવાસીઓને સવાલ સતાવી રહ્યો છેકે આખરે આ અકસ્માત સર્જાયો કેવી રીતે. જનરલ રાવત મુસાફરી કરવાના હોવાથી ભારતીય વાયુસેનાએ તમામ તકેદારી લીધી હોય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત આ અત્યાધુનિક હેલિકોપ્ટર હતુ. આ સંજોગોમાં અકસ્માતનુ કારણ શું છે તે જાણવુ જરૂરી બન્યુ છે.
દરમિયાન ભારતીય વાયુસેનાએ કહ્યુ છે કે, દુર્ઘટનાના કારણ જાણવા માટે એક ઈન્કવાયરી શરુ કરાઈ છે અને બહુ ઝડપથી તપાસ કરવામાં આવશે. વાયુસેનાએ વધુમાં કહ્યુ છે કે 8 ડિસેમ્બરે જે હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ તે માટે સેનાની ત્રણે પાંખ દ્વારા એક સંયુક્ત ઈન્કવાયરી કરવામાં આવશે અને તથ્ય બહુ જલ્દી સામે આવશે, ત્યાં સુધી મૃતકોની ગરિમાનુ સન્માન કરવા માટે પાયા વગરની અટકળો કરવાથી તમામે દુર રહેવુ જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દુર્ઘટના સ્થળેથી હેલિકોપ્ટરનુ બ્લેક બોક્સ કબ્જે કરવામાં આવ્યુ છે અને તેના કારણે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે જાણવામાં મદદ મળશે. જનરલ રાવત સહિત આ અકસ્માતમાં નિધન પામેલા જાંબાઝોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
