કુન્નુર હેલિકોપ્ટર ક્રેશ: પાયાવિહોણી અટકળો ન કરો, મૃતકોની ગરીમાં જાળવો: ભારતીય વાયુસેના
તમિલનાડુના કુન્નુર જિલ્લામાં લશ્કરી હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં CDS બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 સૈનિકોના મોત થયા હતા. આ ઘટનાથી દેશની જનતા સંપૂર્ણપણે આઘાતમાં છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનુ હેલિકોપ્ટર ક્રેશમાં નિ
તમિલનાડુના કુન્નુર જિલ્લામાં લશ્કરી હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં CDS બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 સૈનિકોના મોત થયા હતા. આ ઘટનાથી દેશની જનતા સંપૂર્ણપણે આઘાતમાં છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનુ હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયા બાદ કરોડો દેશવાસીઓને સવાલ સતાવી રહ્યો છેકે આખરે આ અકસ્માત સર્જાયો કેવી રીતે. જનરલ રાવત મુસાફરી કરવાના હોવાથી ભારતીય વાયુસેનાએ તમામ તકેદારી લીધી હોય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત આ અત્યાધુનિક હેલિકોપ્ટર હતુ. આ સંજોગોમાં અકસ્માતનુ કારણ શું છે તે જાણવુ જરૂરી બન્યુ છે.
દરમિયાન ભારતીય વાયુસેનાએ કહ્યુ છે કે, દુર્ઘટનાના કારણ જાણવા માટે એક ઈન્કવાયરી શરુ કરાઈ છે અને બહુ ઝડપથી તપાસ કરવામાં આવશે. વાયુસેનાએ વધુમાં કહ્યુ છે કે 8 ડિસેમ્બરે જે હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ તે માટે સેનાની ત્રણે પાંખ દ્વારા એક સંયુક્ત ઈન્કવાયરી કરવામાં આવશે અને તથ્ય બહુ જલ્દી સામે આવશે, ત્યાં સુધી મૃતકોની ગરિમાનુ સન્માન કરવા માટે પાયા વગરની અટકળો કરવાથી તમામે દુર રહેવુ જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દુર્ઘટના સ્થળેથી હેલિકોપ્ટરનુ બ્લેક બોક્સ કબ્જે કરવામાં આવ્યુ છે અને તેના કારણે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે જાણવામાં મદદ મળશે. જનરલ રાવત સહિત આ અકસ્માતમાં નિધન પામેલા જાંબાઝોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
