ઈન્ટરપૉલનો ખુલાસોઃ દુનિયાભરના નેતાઓને મોકલવામાં આવી રહ્યા છે 'સંક્રમિત પત્ર'
કોરોના વાયરસ દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષો અને નેતાઓ માટે મોટો ખતરો બની ગયો છે.
નવી દિલ્લીઃ જાનલેવા મહામારી કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ચાલુ છે. દુનિયાભરમાં લગભગ 6 કરોડ લોકો આનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને લાખો લોકોના જીવ જઈ ચૂક્યા છે. ઘણા બિઝનેસ બંધ થઈ ચૂક્યા છે, લોકોની નોકરીઓ જઈ ચૂકી છે. જેમની નોકરી છે તેમને પણ સેલેરી ઓછી મળી રહી છે. પરંતુ આ બધા વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. હવે આ વાયરસ દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષો અને નેતાઓ માટે મોટો ખતરો બની ગયો છે. આ નેતાઓ સામે તેમના દુશ્મન કોરોના વાયરસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ઈન્ટરપૉલે હાલમાં જ ચેતવણી આપી છે કે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગ્લોબલ લીડર્સને પત્ર મોકલવામાં આવી રહ્યા છે જે કોરોના સંક્રમિત છે. આનાથી ખૂબ જ એલર્ટ રહેવાની જરૂર છે. આંતરાષ્ટ્રીય પોલિસ સંગઠન ઈન્ટરપોલના જણાવ્યા મુજબ દુનિયાના મોટા નેતાઓ અને દિગ્ગજ લોકોને કોરોના સંક્રમિત કરવાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. ઈન્ટરપોલે દુનિયાભરની એજન્સીઓને સાવચેત કરી છે કે નેતાઓ અને મોટી વ્યક્તિઓને કોરોનાથી સંક્રમિત પત્ર મોકલવામાં આવી શકે છે. તમે જાણીને હેરાન થઈ જશો કે પોલિસ અધિકારીઓ, ડૉક્ટરસ અને જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો પર થૂકવામાં આવી રહ્યુ છે જેથી તે સંક્રમિત થઈ જાય. આ અંગેનો ખુલાો ઈન્ટરપોલે કર્યો છે અને આ અંગે દિશા નિર્દેશ જારી કર્યા છે.
ઈન્ટરપૉલે 194 દેશોને ખાસ સતર્ક રહેવાની ચેતવણી આપી છે. દિશાનિર્દેશમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે લાદી પર થૂકીને કે કોઈના મોઢા કે વસ્તુ પર ખાંસીને સંક્રમણ ફેલાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઈન્ટરપૉલે એ પણ ખુલાસો કર્યો છે કે એવા પણ અમુક કેસ સામે આવ્યા છે જ્યાં નેતાઓને સંક્રમિત પત્રો મોકલવામાં આવ્યા છે. આ રીતની હરકતને અન્ય સમૂહો પર પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. જો કે આંતરરાષ્ટ્રીય એજન્સીએ આવા કોઈ નેતાના નામનો ઉલ્લેખ કર્યો નથી જેને આ સંક્રમિત પત્ર મોકલવામાં આવ્યો હોય.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
