Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતમાં કોરોનાનો કહેર, પહેલીવાર એક દિવસમાં 350થી વધુના મોત

ભારતમાં કોરોનાનો કહેર, પહેલીવાર એક દિવસમાં 350થી વધુના મોત

નવી દિલ્હીઃ દુનિયાના અલગ અલગ દેશોમાં લાખો લોકોને પતાની ઝપેટમા લેનાર કરોના વાયરસ હવે ભારતમાં કોહરામ મચાવી રહ્યો છે. પાછલા 24 કલાકમાં 9996 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે આ દરમિયાન 457 લોકોના મોત થયાં છે. કોરોના વાયરસના સંક્રમણ અને તેનાથી થયેલ મોતનો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ નવા કેસો બાદ કોરોના વાયરસના દર્દીની કુલ સંખ્યા વધીને 286579 થઈ ગઈ છે. આ ઉપરાંત અત્યાર સુધી 8102 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

એક્ટિવ કેસથી સાજા થનારા દર્દીની સખ્યા વધુ

એક્ટિવ કેસથી સાજા થનારા દર્દીની સખ્યા વધુ

ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મં્રાલયે કોરોના વાયરસના આંકડા જાહેર કરતા જણાવ્યું કે અત્યાર સુધી દેશના વિવિધ રાજ્યોમાં 141029 દર્દી ઠીક થઈ ચૂક્યા છે, જે બાદ દેશમાં એક્ટિવ કેસ 137448 બચ્યા છે. કોરોના વાયરસ વિરુદ્ધની લડઈમાં આ વાત એક રાહતના રૂપમાં માનવામાં આવે છે કે કુલ 286579 દર્દીમાં ઠીક થનાર દર્દીની સંખ્યા એક્ટિવ કેસથી વધુ થઈ ગઈ છે.

અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 5213140 સેમ્પલ ટેસ્ટ થયા

અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 5213140 સેમ્પલ ટેસ્ટ થયા

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે ગુરુવારે જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 5213140 સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યા છે. આમાંથી 151808 સેમ્પલ ટેસ્ટ પાછલા 24 કલાકમાં કરવામાં આવ્યા છે. ICMRના અત્યાર સુધીના આંકડા મુજબ કોરોના વાયરસના સેમ્પલ ટેસ્ટ કરાવવાના મામલામાં ભારત દુનયાનો ચોથો દેશ બની ગયો છે. યુપીની રાજધાની લખનઉમાં પણ બુધવારે 1928 લોકોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 81 લોકો પોઝિટિવ મળી આવ્યા.

કોરોનાનો ખતર સતત વધી રહ્યો છે

કોરોનાનો ખતર સતત વધી રહ્યો છે

જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારીનો ખતરો સતત વધી રહ્યો છે. બુધવારે તમિલનાડુમાં કોરોના વાયરસના કારણે ડીએમકેના ધારાસભ્ય જે અંબાજગનનું નિધન થઈ ગયું. કોરોનાવાયરસના કારણે કોઈ જનપ્રતિનિધિના મોતનો આ પહેલો મામલ છે. કોરોનાવાયરસથી સંક્રમિત થયા બાદ અંબાજગનને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની તબીયત લથડતાં તેમણે પોતાના 62મા જન્મદિવસ પર જ દમ તોડી દીધો.જ્યારે ભાજપના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેની મા માધવી રાજે સિંધિયા પણ કોરોના વાયરસથી સંકરમિત મળી આવ્યા. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંનેને ઈલાજ માટે દિલ્હીના મેક્સ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X