નથી અટકી રહી કોરોનાની ગતિ, છેલ્લા 24 કલાકમાં મળ્યા 8329 નવા દર્દી
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો કહેર અટકવાનુ નામ નથી લઈ રહ્યો.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો કહેર અટકવાનુ નામ નથી લઈ રહ્યો. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ફરી એકવાર કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8329 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે. વળી, એક દિવસમાં 10 લોકોના કોરોના વાયરસના સંક્રમણથી મોત થયા છે.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે છેલ્લા 24 કલાકમાં 4216 દર્દીઓ સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વળી, દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 40,370 થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા 4,26,48,308 થઈ ગઈ છે. વળી, કોરોનાના કારણે મૃત્યુની સંખ્યા વધીને 5,24,757 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 1,94,92,71,111 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ મુજબ શુક્રવાર 10 જૂન સુધીમાં ભારતમાં કોરોના વાયરસ માટે 3,44,994 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે. ગઈકાલ સુધીમાં કુલ 85,45,43,282 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.