કોરોના વાયરસના બધા રેકૉર્ડ તૂટ્યા, 24 કલાકમાં 1.31 લાખ નવા કોવિડ આવ્યા સામે, 780 મોત
ભારતમાં આજે એટલે કે શુક્રવારે(9 એપ્રિલ) કોરોના વાયરસના બધા રેકૉર્ડ તૂટી ગયા છે.
ભારતમાં કોરોના વાયરસ અપડેટઃ ભારતમાં આજે એટલે કે શુક્રવારે(9 એપ્રિલ) કોરોના વાયરસના બધા રેકૉર્ડ તૂટી ગયા છે. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં રેકૉર્ડ તોડ 1.31 લાખ નવા કોવિડ-19ના કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 780 લોકોના મોત થયા છે. જે આ વર્ષના એક દિવસમાં આવનારા સર્વાધિક કેસ છે. છેલ્લા 24 કલાકમાં 61 હજાર 899 લોકો કોરોનાથી રિકવર થયા છે. ભારતમાં કોરોનાના કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા હવે 1,30,60,542 થઈ ગઈ છે. વળી, મહામારીથી મરનારની સંખ્યા 1,67,642 થઈ ગઈ છે. દેશમાં હાલમાં સક્રિય દર્દીઓની સંખ્યા 9.74 લાખે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે (9 એપ્રિલ) જાહેર કરેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,31,968 નવા કેસ સામે આવ્યા છે અને 780 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી 1,67,642 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 1,30,60,542 થઈ ગઈ છે. દેશમાં હાલમાં સક્રિય કેસોની સંખ્યા 9,79,608 છે. વળી, ડિસ્ચાર્જ થયેલા કેસોની કુલ સંખ્યા 1,19,13,292 થઈ ગઈ છે. દેશમાં હાલમાં 9,43,34,262 લોકોને કોરોના વાયરસ વેક્સીન લગાવવામાં આવી છે.
ભારતમાં એપ્રિલના આ સપ્તાહની વાત કરીએ તો કોરોનાના રેકૉર્ડ તોડ કેસ આ દરમિયાન આવ્યા છે.
- સોમવારે(5 એપ્રિલ, 2021) કોરોનાના 1.03 લાખ કેસ સામે આવ્યા.
- મંગળવારે(6 એપ્રિલ, 2021) કોરોનાના 96 હજાર નવા કેસ સામે આવ્યા.
- બુધવારે(7 એપ્રિલ, 2021) કોરોનાના 1.15 લાખ કેસ સામે આવ્યા.
- ગુરુવારે(8 એપ્રિલ, 2021) કોરોનાના 1.26 લાખ નવા કેસ સામે આવ્યા.
- શુક્રવારે(9 એપ્રિલ, 2021) કોરોનાના 1.31 લા્ખ નવા કેસ સામે આવ્યા.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 56,286 નવા કોરોના કેસ
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં 8 એપ્રિલે કોરોનાના 56,286 નવા કેસ સામે આવ્યા છે. જે દેશના 24 કલાકમાં આવેલ 1.31 લાખ નવા કોવિડ કેસના 43 ટકા છે. આ ઉપરાંત છત્તીસગઢમાં 10,652 નવા કોરોના કેસ નોંધવામાં આવ્યા છે. વળી, ઉત્તર પ્રદેશમાં 8,474 નવા કેસ સામે આવ્યા છે.
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
