Coronavirus Sub Variant: કોરોનાના સબ વેરિઅંટ XBB વિશે સામે આવી ચોંકાવનારી માહિતી
ઓમિક્રૉનના સબ વેરિઅંટ XBBના આરોગ્ય પર પ્રભાવને લઈને એક શોધ કરવામાં આવી. જેમાં ચોંકાવનારી માહિતી મળી છે.
Coronavirus Sub Variant XBB: કોરોના વાયરસના કેસો ચીનમાં જે રીતે વધી રહ્યા છે તેના કારણે દુનિયાભરના દેશોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે. જો કે, આ દરમિયાન કોરોના વાયરસના સબ વેરિઅંટ વિશે એક રિપોર્ટ સામે આવ્યો છે. ઓમિક્રૉનના સબ વેરિઅંટ અને XBBના આરોગ્ય પર પ્રભાવને લઈને એક શોધ કરવામાં આવી. જેમાં સામે આવ્યુ કે આ વેરિઅંટના ખૂબ ઓછા લક્ષણ દર્દીમાં જોવા મળ્યા છે. 6 મહિનાની શોધ બાદ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંક્રમણથી 97 ટકા લોકો ઠીક થયા છે.

તમને જણાવી દઈએ કે XBB વેરિઅન્ટ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં બહાર આવ્યો હતો જે ભારત અને એશિયાના દેશોમાં ખૂબ જ ઝડપથી વધ્યો હતો. આ સંશોધન બીજે મેડિકલ કોલેજ, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી અને ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ પૂણેના નિષ્ણાતો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો છે. આમાં ઓમિક્રોન સબવેરિયન્ટ્સ BA.2.10, BA.2.38, BA.2.75, BA.5, BQ.1 અને XBBથી ચેપગ્રસ્ત 494 દર્દીઓનુ વિશ્લેષણ કરવામાં આવ્યુ.
રિસર્ચમાં સામે આવ્યુ છે કે આ વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓમાંથી લગભગ 97 ટકા લોકો સાજા થઈ ગયા છે. ઓમિક્રૉનના અન્ય સબ વેરિઅંટની તુલનામાં, XBB લોકોમાં ખૂબ જ હળવો કોરોના ચેપ લાવે છે. સંશોધકો કહે છે કે XBB ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓછુ સંક્રમક છે. ડેલ્ટા વેરિઅન્ટે 2021માં ભારતમાં ઘણી તબાહી મચાવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
XBB વેરિઅન્ટ BA.2.75 કરતાં ઓછુ જોખમી હતુ. BA.2.75 દર્દીઓમાંથી 66.6 ટકા દર્દીઓ જાતે જ ઘરેથી સાજા થઈ ગયા, જ્યારે BA.2.38 દર્દીઓમાંથી 75 ટકા દર્દીઓ આપોઆપ સાજા થઈ ગયા. 78.8 ટકા XBB દર્દીઓ ઘરે જ સ્વસ્થ થયા, તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર ના પડી. જ્યારે BA.2.38 ચેપગ્રસ્ત દર્દીઓમાંથી 19.05 ટકાને ઓક્સિજનની જરૂર હતી, જ્યારે BA.2.75 દર્દીઓના 6.46 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂર હતી. બીજી તરફ, એક્સબીબીથી સંક્રમિત લોકોની વાત કરીએ તો માત્ર 4.7 ટકાને જ ઓક્સિજનની જરૂર હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
