કોરોનાના કોહરામ વચ્ચે વાયરસના ટ્રિપલ મ્યુટંટે આપી દસ્તક, જાણો કેટલો ખતરનાક છે આ
જાનલેવા વાયરસ વિશે એક સમાચાર આવ્યા છે જે વધુ ડરાવનારા છે. કોરોના વાયરસના ટ્રિપલ મ્યુટંટ થવાના સમાચાર આવ્યા છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોનાનો ફેલાવ અટકવાનુ નામ નથી લેતો. સ્થિતિ રોજેરોજ કથળી રહી છે. હોસ્પિટલોમાં સુવિધાઓ ખૂટી રહી છે. છેલ્લા 24 કલાકમાં અઢી લાખથી વધુ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન આ જાનલેવા વાયરસ વિશે એક સમાચાર આવ્યા છે જે વધુ ડરાવનારા છે. કોરોના વાયરસના ટ્રિપલ મ્યુટંટ થવાના સમાચાર આવ્યા છે. રિપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે કે દેશના અમુક ભાગોમાં ટ્રિપલ મ્યુટંટ વેરિઅંટ જોવા મળ્યો છે. આ વેરિઅંટે કોરોના વાયરસને અચાનક વધારી દીધો છે. જાણકારોનુ કહેવુ છે કે આ વેરિઅંટના કારણે વાયરસની બીજી લહેર વધુ ખતરનાક થઈ ગઈ છે અને હજુ આનુ પીક પર આવવાનુ બાકી છે.

નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ(NCDC)એ ગયા વર્ષે ઓક્ટોબરમાં નવા વેરિઅંટની માહિતી આપી હતી. આ વેરિઅંટને B.1.617 નામ આપવામાં આવ્યુ હતુ. આમાં બે પ્રકારના મ્યુટન્શ છે E484Q અને L452R. આ વાયરસનુ એ સ્વરૂપ છે જેમાં જીનોમમાં બે વાર પરિવર્તન કરવામાં આવી ચૂક્યુ છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટને માનીએ તો આ વેરિઅંટ ઘણો ખતરનાક છે અને શરીરની રેસ્પિરેટરી સિસ્ટમને નુકશાન કરે છે. એનડીટીવીના સમાચાર મુજબ મહારાષ્ટ્ર, દિલ્લી અને પશ્ચિમ બંગાળમાં આ ટ્રિપલ મ્યુટન્ટ વાયરસ મળ્યો છે.
વિશેષજ્ઞોનુ માનવુ છે કે જો સમય રહેતા આ વેરિઅંટને રોકવામાં ન આવ્યો તો આવનારા દિવસોમાં તેના ઘાતક પરિણામો જોવા મળશે. વળી, વૈજ્ઞાનિક આ સ્ટ્રેન પર કંટ્રોલ મેળવવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે. વળી, નવા વેરિઅંટના સામે આવ્યા બાદ સરકાર પણ ચિંતામાં છે. કેન્દ્ર સરકારે રાજ્યોને અપીલ કરી છે કે કોરોના સંક્રમિત સેમ્પલને રેંડમલી જીનોમ સિક્વંસિંગ માટે મોકલવા જોઈએ. આમ ન થતા મ્યુટેશન સાથે જોડાયેલ સંક્રમણ વિશે સાચી માહિતી નહિ મળી શકે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
