કનિકા સાથે પાર્ટીમાં શામેલ યુપીના આરોગ્ય મંત્રીએ ખુદને આઈસોલેશનમાં રાખ્યા
કનિકા કપૂરનો સેમ્પલ પૉઝિટીવ આવ્યા બાદ આરોગ્ય મંત્રી જયપ્રકાશ સિંહે ખુદને આઈસોલેટ કરી દીધા છે.
કોરોના વાયરસ સામે દેશમાં જંગ ચાલી રહી છે પરંતુ આ દરમિયાન બૉલિવુડ ગાયિક કનિકા કપૂરની બેદરકારીના કારણે ઘણા લોકો પર આ વાયરસના સંક્રમણનો ખતરો મંડરાઈ રહ્યો છે. વાસ્તવમાં કનિકા કપૂર લંડનથી પાછી આવ્યા બાદ તેણે લખનઉમાં ઘણી પાર્ટીઓમાં ભાગ લીધો. આ પાર્ટીમાં ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી જયપ્રતાપ સિંહે પણ ભાગ લીધો હતો. પરંતુ કનિકા કપૂરનો સેમ્પલ પૉઝિટીવ આવ્યા બાદ જયપ્રકાશ સિંહે ખુદને આઈસોલેટ કરી દીધા છે. તેમના સેમ્પલ પણ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
આ હસ્તીઓ શામેલ હતી પાર્ટીમાં
માહિતી અનુસાર લખનઉમાં કનિકા ત્રણ પાર્ટીઓમાં શામેલ થઈ. તે તાજ હોટલમાં પણ એક કાર્યક્રમાં શામેલ થઈ હતી. લખનઉમાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના ઘરે પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, ભાજપ સાંસદ દુષ્યંત સિંહ, ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી જય પ્રતાપ સિંહ, જિતિન પ્રસાદ, આદેશ સેઠ સહિત ઘણા અન્ય નેતા અને ગણમાન્ય શામેલ હતા. કનિકાનો સેમ્પલ પૉઝિટીવ આવ્યા બાદ ઉત્તર પ્રદેશના આરોગ્ય મંત્રી જય પ્રતાપ સિંહે ખુદને આઈસોલેશનમાં રાખ્યા છે.
વસુંધરા રાજે આઈસોલેશનમાં
વળી, આ બાબતે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા વસંધરા રાજેએ ટ્વિટ કરીને માહિતી આપી છે. તેમણે જણાવ્યુ કે તે પોતાના દીકરા દુષ્યંત સાથે તેના સાસરિયાવાળા દ્વારા આયોજિત રાત્રિ ભોજનમાં પહોંચ્યા હતા જ્યાં સિંગર કનિકા કપૂર હાજર હતી. હવે અમે પોતાને આઈસોલેટ કરી લીધા છે. વસુંધરા રાજેએ ટ્વિટમાં જણાવ્યુ કે લખનઉમાં રહીને મે મારા દીકરા દુષ્યંત અને તેમના સાસરિયાવાળા સાથે રાત્રિ ભોજનમાં ભાગ લીધો. જેમાં દૂર્ભાગ્યવશ કોરોના વાયરસ પૉઝિટીવ મળેલી સિંગર કનિકા પણ અતિથિ હતી. કનિકા વિશે સમાચાર મળતા જ અ પોતાને ઘરમાં આઈસોલેટ કરી લીધા છે.
શું કહેવુ છે કનિકાનુ
વળી, જ્યારે કનિકાને આ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે તે માત્ર 10-30 લોકોને મળી છે. કનિકાએ કહ્યુ કે એક દોસ્તની બર્થડે પાર્ટીમાં ગઈ હતી, ત્યાં અમુક લોકો આવ્યા હતા. કનિકાએ આરોપ લગાવ્યો કે તે એક હોસ્પિટલમાં છે, અહીં ખાવાપીવા માટે કંઈ નથી. અહીં ડૉક્ટરે મને ધમકી આપી છે. તેમણે કહ્યુ છે કે મે તમારા વિશે ઈન્ટરનેટ પર વાંચ્યુ છે કે તમે એરપોર્ટથી ભાગીને આવ્યા છો, અ તમારી સામે પોલિસમાં ફરિયાદ કરીશુ. હું ડરી ગઈ છુ કે મારી સાથે શું થશે. આરોપ છે કે કનિકા એરપોર્ટથી છૂપાઈને નીકળી, જેના પર તેણે કહ્યુ કે એવુ કઈ રીતે થઈ શકે કે ભારતમાં કોઈ એરપોર્ટથી છૂપાઈને બહાર આવે, હું છૂપાઈને કેમ બહાર આવુ. કનિકાએ જણાવ્યુ કે એરપોર્ટ પર મારુ ચેકઅપ થયુ, મે આખુ ફોર્મ ભરીને આપ્યુ હતુ.
આ પણ વાંચોઃ કોરોનાની ચપેટમાં બૉલિવુડ સિંગર કનિકા, સોશિયલ મીડિયા પર જણાવી કહાની