કોરોના કેસોમાં ઘટાડો 24 કલાકમાં મળ્યા 251 લાખ નવા કેસ સક્રિય દર્દી પણ ઘટ્યા
ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર દરમિયાન સતત ઘટાડો યથાવત છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર દરમિયાન સતત ઘટાડો યથાવત છે. 28 જાન્યુઆરીએ આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 51 હજાર નવા કેસ સામે આવ્યા છે. વળી, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 627 લોકોના મોત કોવિડ-19ના કારણે થયા છે. દેશમાં કોરોનાથી આ દરમિયાન 3 લાખ 47 હજાર 443 લોકો રિકવર થઈ ગયા છે. દેશમાં દૈનિક પૉઝિટિવિટી રેટ 17 ટકાથી ઘટીને 15.88 ટકા થઈ ગયો છે. વળી, કોરોના રિકવરી રેટમાં વધારો કરવામાં આવ્યો છે. દેશમાં કુલ વેક્સીનેશનનો આંકડો 1,64,44,73,216 છે.
થોડા દિવસોથી આવી રહેલા કેસોના 12 ટકા ઓછા નવા કેસ
ભારતમાં આજે 28 જાન્યુઆરીએ સામે આવેલા 2.51 લાખ નવા કેસ 27 જાન્યુઆરીના 2.86 લાખ કેસોના દૈનિક સ્પાઈકથી 12 ટકા ઓછા હતા. દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ 4,06,22,709 થઈ ગયા છે. ત્યાં દેશમાં કોરોનાથી થયેલ મોતનો આંકડો 4 લાખ 92 હજાર 317 છે. દેશમાં કુલ વેક્સીનેશનનો આંકડો 1,64,44,73,216 છે. જેમાંથી 89.1 કરોડ પહેલો ડોઝ આપવામાં આવ્યો છે જયારે 69.9 કરોડને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
કોરોના રિકવરી રેટમાં થયો વધારો
દેશમાં હાલમાં 21 લાખ સક્રિય કેસ છે. સક્રિય કેસમાં હવે કુલ સંક્રમણોના 5.18 ટકા જ શામેલ છે. જ્યારે કોરોના રિકવરી રેટ સામાન્ય રીતે વધીને 93.6 ટકા થઈ ગઈ છે. દેશમાં દૈનિક પૉઝિટિવિટી રેટ 19.59 ટકાથી ઘટીને 15.88 ટકા થઈ ગઈ છે જ્યારે સાપ્તાહિક પૉઝિટિવિટી દર 17.47 ટકા નોંધવામાં આવ્યો છે.
કોરોના માટે ચાલુ રહેશે પ્રતિબંધ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે વર્તમાન કોવિડ-19 રોકથામ ઉપાયોને 28 ફેબ્રુઆરી સુદી લંબાવી દીધા છે. સંક્રમણની લહેરને જોતા ઓમિક્રૉન વેરિઅંટ દ્વારા સંચાલિત હજુ પણ ઉગ્ર અને 407 જિલ્લાઓમાંથી 10 ટકાથી વધુની પૉઝિટિવિટી દરનો રિપોર્ટ છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલેલા પત્રમાં કહ્યુ કે સક્રિય કેસ વધીને 22 લાખથી વધુ થઈ ગયા છે. જો કે મોટાભાગના દર્દી તેજીથી રિકવર થઈ રહ્યા છે અને ઓછા કેસ હૉસ્પિટલોમાં છે. તેમણે કહ્યુ કે વર્તમાન સ્થિતિને જોતા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઓ બધી સાવચેતીઓનુ પાલન કરવુ જોઈએ અને પોતાની સુરક્ષા ઘટાડવી જોઈએ નહિ.