એકવાર ફરીથી વધ્યા કોરોના કેસ, 24 કલાકમાં મળ્યા 9765 નવા દર્દી અને 477 લોકોના મોત
કોવિડ વેક્સીનેશનમાં આગળ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ અટકી નથી રહ્યા. રોજેરોજ સંખ્યા વધી-ઘટી રહી છે. જાણો લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ કોવિડ વેક્સીનેશનમાં આગળ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ અટકી નથી રહ્યા. રોજેરોજ સંખ્યા વધી-ઘટી રહી છે. આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી 9765 નવા કેસ નોંધવામાં આવ્યા. વળી, 8548 રિકવરી થઈ. સાથે જ કાલના દિવસમાં 477 લોકોના મોત થયા. નવા કેસ જોઈએ તો તે અત્યારે 9 હજારના ગ્રાફથી ઉપર જ છે. જેમાં કેરળમાં સૌથી વધુ દર્દીઓ મળી રહ્યા છે. આ એ જ રાજ્ય છે જ્યાં દેશનો પહેલો કોરોના દર્દી મળ્યો હતો. લગભગ 2 વર્ષ બાદ પણ કેરળ કોરોનાની સર્વાધિક માર સહન કરી રહ્યુ છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ એકલા કેરળ રાજ્યથી કોરોનાના 4 હજારથી વધુ નવા કેસ નોંધવામાં આવ્યા. આ ઉપરાંત 403 મોત થયા.
સક્રિય દર્દીઓની સંખ્યા 1 લાખથી ઓછી થઈ
દેશમાં રાહતની વાત તો એ છે કે હવે કોરોના વાયરસના સંક્રમણના સક્રિય દર્દીઓની સંખ્યા 1 લાખથી ઓછી છે. આજે આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે ભારતમાં કોરોના વાયરસ મહામારીના સક્રિય દર્દીઓની સંખ્યા હાલમાં 99,763 છે. થોડા દિવસ પહેલા આ 1 લાખથી વધુ હતી. વળી, દેશનો કોવિડ રિકવરી રેટ હવે 98.35 ટકા છે. આ ઉપરાંત કોરોના વાયરસ મહામારીના સંક્રમણના દેશભરમાં નોંધાયેલા કુલ કેસોની વાત કરીએ તો આ આંકડો 3.41 કરોડ થઈ ગયો જેમાંથી 34037054 દર્દી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.
લોકોને વેક્સીનનો કેટલો ડોઝ મળ્યો
દેશભરમાં લોકોને વેક્સીનનો અત્યાર સુધી 1,24,96,19,515 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાંથી કાલના જ દિવસે 80,35,261 ડોઝ આપવામાં આવ્યો. વળી, અત્યાર સુધી કોરોના વાયરસ મહામારીથી રિકવર થયેલ લોકોનો આંકડો વધીને 34037054 સુધી પહોંચી ગયો છે. જેમાંથી કાલના દિવસમાં 8548 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. આ ઉપરાંત કોરોના વાયરસના ટેસ્ટની વાત કરીએ તો દેશભરમાં લાખો લોકોના સેમ્પલનુ પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. પૂર્વોત્તર ભારતીય રાજ્ય મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21 નવા કેસ સામે આવ્યા. આ રાજ્યમાં કોવિડથી અત્યાર સુધી લગભગ 500 લોકોના મોત થઈ ચૂકયા છે. વળી, કુલ સક્રિય કેસ 3772 છે.