Coronavirus: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2644 નવા મામલા સામે આવ્યા
Coronavirus: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2644 નવા મામલા સામે આવ્યા
નવી દિલ્હીઃ દેશ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યો છે, ભારતમાં કોરોના વાયરસના કુલ મામલા 39980 થઈ ગયા છે, જેમાં 28046 એક્ટિવ કેસ, 1301 લોકોના મોત અને 10632 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. જ્યારે એક દર્દી વિદેશ મોકલી આપવામાં આવ્યો છે, રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે આ મમાહિતી આવી છે, ગત 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 2644 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને સંક્રમણના કારમે 83 લોકોના મોત થયાં છે. આ એક દિવમસાં સામે આવનાર કેસોમાંનો સૌથી વધુ આંકડો છે.

ભારતમાં કોરોના સંક્રમણના મામલે મહારાષ્ટ્ર અને ગુજરાત સૌથી આગળ છે. મહારાષ્ટ્રમાં આ મહામારીથી પીડિતોની સંખ્યા 11056 છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધુ 485 લોકોના મોત થયાં છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના 4721 મામલા સામે આવ્યા છે અને 236 લોકોના મોત થયાં છે. જે બાદ દિલ્હીમાં 3738, મધ્ય પ્રદેશમાં 2719, રાજસ્થાનમાં 2666 અને તમિલનાડુમાં 2526 મામલા સામે આવ્યા છે.
કોરોના વોરિયર્સને સલામ
આજે ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાના જવાનો મળી કોરોના વોરિયર્સને સલામ કરી રહ્યા છે. જે અંતર્ગત ભારતીય સેનાના બેન્ડ ટૂકડીએ કોવિડ હોસ્પિટલોમાં વિશેષ ધૂન વગાડી, હેલિકોપ્ટર દ્વારા ફુલ વરસાવી કોરોના વોરિયર્સને સેલ્યૂટ કરવામાં આવ્યું.












Click it and Unblock the Notifications
