ભષ્ટ્રાચારના મુદ્દે દિલ્હીમાં આજે કોંગ્રેસની મહારેલી

manmohan-singh-sonia
નવી દિલ્હી, 4 નવેમ્બર: સતત ભષ્ટ્રાચારના આરોપોનો સામનો કરી રહેલી કોંગ્રેસ આજે પોતાની વિરોધીઓને તીખો જવાબ આપવાની તૈયારીમાં છે. આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે દિલ્હીમાં શક્તિ પ્રદર્શન કરશે. આજે ઐતિહાસિક રામલીલા મેદાનમાં કોંગ્રેસની એક મોટી રેલી યોજાશે જેમાં વડાપ્રધાન મનમોહન સિંહ, યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પણ ભાગ લેશે.

કહેવામાં આવે છે કે હજુ સુધી ભષ્ટ્રાચારના મુદ્દે ચુપ બેસેલા સોનિયા-રાહુલ આ રેલીના માધ્યમથી વિરોધીને જવાબ આપવાના છે. ટીવી ચેનલો પર ચાલી રહેલા સમાચારના જણાવ્યા મુકબ રેલીમાં ઓછામાં ઓછા 50 હજાર લોકો ભાગ લેશે તેવી આશા છે. આ રેલીના માધ્યમની સરકાર પોતાના એફડીઆઇના નિર્ણયનું મહત્વ પ્રજાને સમજાવશે.

ગત બે મહિનાઓથી કોંગ્રેસ ઉપર મનમાની અને ભષ્ટ્રાચારના આરોપો લાગી રહ્યાં છે. વાઢેરા સહિત સોનિયા અને રાહુલ પણ ભષ્ટ્રાચારના ઘેરાવામાં છે, એવા સમયે આ રેલી કોંગ્રેસ માટે ઘણું બધુ નક્કી કરશે. ભાજપનું માનવું છે કે કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે.

વિપક્ષને લાગે છે કે આ તેમના પ્રહારોની અસર છે કે કોંગ્રેસ રેલી કરી પોતાના પર લાગેલા ભષ્ટાચારના આરોપોનો જવાબ આપવો પડી રહ્યો છે. કોંગ્રેસ આ રેલી બાદ 9 તારીખે પોતાની કાર્યકારી કમેટીના સભ્યો અને સરકારમાં મંત્રીઓ સાથે એક અનૌપચારિક બેઠક કરવા જઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X