For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભ્રષ્ટાચારને અટકાવશે આધાર : નંદન નિલેકાણી

|
Google Oneindia Gujarati News

nandan-nilekani
નવી દિલ્હી, 23 ઑક્ટોબર : દેશના જાણીતા ઉદ્યોગ સાહસિક અને યુનિક આઇડિન્ટિફિકેશન ઑથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)ના ચેરમેન નંદન નિલેકાણીએ ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના નેતા અરવિંદ કેજરીવાલના નામનો ઉલ્લેખ કર્યા વિના જણાવ્યું હતું કે ટેલિવિઝન અભિયાન, કાયદામાં ફેરફાર અને લોકપાલની નિયુક્તિની તુલનામાં આધાર કાર્ડ દ્વારા યોજનાઓના અમલથી ભ્રષ્ટાચારને અસરકારક રીતે અટકાવી શકાશે.

નિલેકાણીએ એક ખાનગી સમાચાર ચેનલને જણાવ્યું હતું કે "હું પણ એક સામાન્ય વ્યક્તિની જેમ ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છું. મારું માનવું છે કે ભ્રષ્ટાચારને આગળ વધતો અટકાવવો જોઇએ. મને લાગતું નથી કે ખાસ કાયદો ઘડીને અથવા તો લોકપાલની નિયુક્તિથી તેને નિયંત્રણમાં લાવી શકાય."

તેમણે જણાવ્યું કે આપણે જે ઇચ્છીએ છીએ તેના માટે લાંબાગાળાના સંસ્થાકીય પરિવર્તન અંગે વિચાર કરનારા દીર્ઘદ્રષ્ટાઓની કમી છે. આધાર કાર્ડથી બજેટનો ખર્ચ વધારે સ્પષ્ટ બનશે અન તેથી ભ્રષ્ટાચાર પર નિયંત્રણ લાવી શકાશે. અત્યાર સુધીમાં 20 કરોડ ભારતીયોને આધાર કાર્ડ ફાળવવામાં આવ્યા છે. આગામી 2014 સુધીમાં 60 કરોડ ભારતીયોને તે ફાળવવામાં આવશે.

English summary
Corruption will stop after using Adhar card said Nandan Nilekni.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X