For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્વિજયનો ધડાકો, દેશ ઇચ્છશે તો રાહુલ બનશે પ્રધાનમંત્રી

|
Google Oneindia Gujarati News

digvijay singh
નવી દિલ્હી, 26 માર્ચ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે એકવાર ફરી ધડાકો કરતા જણાવ્યું છે કે એ ધારણા ખોટી છે કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનવા નથી માંગતા. દિગ્વિજયસિંહે આ નિવેદન બાદ આવનાર સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે મુકાબલાની અટકળો ફરીથી જોર પકડી રહી છે.

કોંગ્રેસના મહાસચિવે જણાવ્યું કે 'રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે તેમની પ્રાથમિકતા લોકોનું કલ્યાણ છે. મીડિયાએ માની લીધું કે પ્રધાનમંત્રી બનવું તેમની પ્રાથમિકતા નથી.'

રાહુલ ગાંધીને આવનાર સામાન્ય ચૂંટણીમાં પાર્ટી તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર પ્રોજેક્ટ કરવાના સંકેત આપતા દિગ્વિજયસિંહે જણાવ્યું કે 'હાલમાં ઉપાધ્યક્ષ બનાવેલા રાહુલે મને કહ્યું હતું કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે.'

દિગ્વિજય સિંહે એ પણ જણાવ્યું કે પાર્ટીમાં એ ભાવના મજબૂત થઇ રહી છે કે ગાંધી-નેહરુ પરિવારના મનોનીત પ્રધાનમંત્રી પાસે બે અધિકાર કેન્દ્ર બની જાય છે અને આનાથી પાર્ટીને નુકસાન થઇ રહ્યું છે. કોંગ્રેસ મહાસચિવ અનુસાર, પાર્ટી નેતાઓનું માનવું છે કે જ પાર્ટીને નિયંત્રિત કરે, તે જ સરકારનો પણ વડો બને.

આવનાર લોકસભા ચૂંણી મોદી વર્સિસ રાહુલ પર હોવાના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે 'અમે સંઘની વિચારધારા સામે લડી રહ્યા છીએ. તેનાથી કોઇ ફર્ક નથી પડતો કે એ વિચારધારાનું પ્રતિનિધિત્વ કોણ કરે છે. પછી ભલે એ આડવાણી હોય કે રાજનાથસિંહ હોય કે મોદી.'

લોકસભા ચૂંટણી નિર્ધારિત સમય કરતા પહેલા થવાની સંભાવનાને રદિયો આપતા દિગ્વિજય સિંહે જણાવ્યું કે 'કોઇ પણ સરકાર પોતાના કાર્યકાળના છેલ્લા 6-8 મહીનામાં અસ્થિર હોય જ છે. નોકરશાહી સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા કરવાથી ઇનકાર કરવા લાગે છે કારણ કે નવી સરકાર હંમેશા આ નિર્ણયોને પલટી નાખે છે.'

English summary
if country willing than Rahul Gandhi become prime minister said Senior Congress leader Digvijay singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X