For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid Update : કોરોના સંક્રમણમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 4,362 નવા કેસ

ભારતમાં કોરોના વાયરસના આંકડાઓ ઝડપથી ઘટી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર હવે ખતમ થઇ રહી છે.

|
Google Oneindia Gujarati News

Covid Update : ભારતમાં કોરોના વાયરસના આંકડાઓ ઝડપથી ઘટી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર હવે ખતમ થઇ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર સોમવારના રોજ (07 ફેબ્રુઆરી) ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4 હજાર 362 નવા કોવિડ કેસ નોંધાયા છે.

corona

છેલ્લા 24 કલાકમાં કોરોનાના દૈનિક આંકડામાં 20 ટકાનો ઘટાડો થયો છે, દેશમાં સતત 29 દિવસથી, દૈનિક કોવિડ 19 કેસ એક લાખથી ઓછા છે. આ દરમિયાન દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 66 લોકોના મોત થયા છે.

દેશમાં સક્રિય કેસની સંખ્યા 54 હજાર 118 છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસમાં કુલ સંક્રમણના 0.13 ટકાનો સમાવેશ થાય છે. આવા સમયે કોરોના રિકવરી રેટમાં વધુ સુધારો થયો છે અને તે 98.68 ટકા થઈ ગયો છે. દેશમાં કોરોનાના કુલ આંકડા 4,29,67,315 પર પહોંચી ગયા છે. ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5 લાખ 15 હજાર 102 લોકોના મોત થયા છે.

છેલ્લી વખત ભારતના દૈનિક નવા કેસ 5,000 થી નીચે 16 મે, 2020 ના રોજ હતા, જ્યારે સમગ્ર દેશમાં 4,864 નવા કેસ નોંધાયા હતા. દેશમાં રસીકરણની કુલ સંખ્યા 1,78,90,61,887 (178.90 કરોડ) છે.

English summary
Covid Update : Corona transition reduced, 4,362 new cases reported in last 24 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X