બંધ થઇ જશે 100થી વધુના મૂલ્યની ચલણી નોટ? અદાલતે સરકારને પૂછ્યો સવાલ
દિલ્હી હાઇકોર્ટે 100 રૂપિયાથી વધુના મૂલ્યની તમામ નોટો પરત ખેંચવાની અને દસ હજારથી વધુની રોકડની લેણદેણ પર રોક લગાવવાની માંગ કરવાની વાળી અરજી પર કેન્દ્ર અને દિલ્હી સરકારે બુધવારના રોજ પોતાનો પક્ષ રાખવા માટે જણાવ્યું હતું.
અરજીમાં 50,000 રૂપિયાથી વધુની તમામ સંપત્તિઓને આધાર સાથે લિંક કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત એર ટિકિટ અને ટ્રેન ટિકિટ, વીજળી બિલ, એલપીજી બિલ, સીએનજી બિલ, મ્યુનિસિપલ બિલ અને રૂપિયા 10,000થી વધુના તમામ બિલમાં રોકડનો ઉપયોગ બંધ કરવા પણ વિનંતી કરવામાં આવી છે.

દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેચે અરજીની સુનાવણી કર્યા બાદ કેન્દ્ર અને દિલ્હી સરકારના વકીલને તેના પર સૂચનાઓ લેવા જણાવ્યું હતું. આ સાથે કેસની આગામી સુનાવણી ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે.
આ કેસમાં કોર્ટે ઔપચારિક રીતે કોઈને નોટિસ આપી નથી. આ અરજી દાખલ કરનારા એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે કોર્ટને અપીલ કરી છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોને 10,000 રૂપિયાથી વધુની કિંમતની તમામ પ્રોડક્ટ્સ અને સેવાઓ માટે રોકડ ચૂકવણી પર પ્રતિબંધ મૂકવા માટે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ કરે.
ઉપાધ્યાયે આ અરજીમાં જણાવ્યું છે કે, આઝાદીના 75 વર્ષ બાદ પણ દેશનો એક પણ જિલ્લો લાંચરુશ્વત, કાળું નાણું, બેનામી વ્યવહારો અને અપ્રમાણસર સંપત્તિના સંગ્રહથી મુક્ત નથી. આ સિવાય કોઈ જિલ્લો જમીન માફિયા, ખાણ માફિયા, કોન્ટ્રાક્ટ માફિયા અને વ્હાઇટ કોલર રાજકીય માફિયાઓની ચુંગાલમાંથી મુક્ત નથી.












Click it and Unblock the Notifications
