કન્હૈયાની જીભ કાપવા પર 5 લાખ રૂપિયાનું ઇનામ
JNU વિવાદ બાદ જમાનત પર આઝાદ થયેલા કન્હૈયાએ જયારે કેમ્પસમાં પોતાનું ભાષણ આપ્યું ત્યારે તે આખી દુનિયામાં એક હિરો તરીકે ઉભરી આવ્યો. પરંતુ ભાજપા અને રાષ્ટ્રીય સેવક સંઘ તેનાથી ગુસ્સે ભરાઈ આવ્યો છે. ભાજપા યુવા મોરચાના નેતાએ તો કન્હૈયાની જીભ કાપવા પર 5 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરી દીધું.
ભાજપા યુવા મોરચાના સીટી ચીફ કુલદીપે પોતાના ફેસબુક પ્રોફાઈલ પર પોસ્ટ કર્યું છે. જેમાં કન્હૈયા કુમારની જીભ કાપવા પર 5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. કુલદીપે આ વાતને વોટ્સઅપ પણ શેર કરી છે તેમને કહ્યું છે કે દેશ વિરોધી અને આતંકવાદી અફઝલ ગુરુનો સાથે આપવા વાળા કન્હૈયા કુમાર હવે દરેક પર પોતાનો નિશાનો સાંધી રહ્યા છે.
એવા માં જે કોઈ પણ કન્હૈયા કુમારની જીભ કાપી લાવશે તેને 5 લાખ રૂપિયા ઇનામમાં આપવામાં આવશે. JNU વિવાદ બાદ જમાનત પર આઝાદ થયેલા કન્હૈયા કુમારે પોતાના ભાષણમાં પીએમ મોદી પર નિશાનો સાંધ્યો હતો.