ભાજપ સાંસદ રાકેશ સિન્હાના માલ્યર્પણ બાદ દલિતોએ ગંગાજળથી કર્યુ શુદ્ધિકરણ

ઉત્તરપ્રદેશના મેરઠમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હાએ ડૉ.ભીમરાવ આંબેડકરની મૂર્તિ પર માલ્યાર્પણ કર્યા બાદ દલિતોએ તેને દૂધ અને ગંગાજળથી સાફ કરી.

ઉત્તરપ્રદેશના મેરઠમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હાએ ડૉ.ભીમરાવ આંબેડકરની મૂર્તિ પર માલ્યાર્પણ કર્યા બાદ દલિતોએ તેને દૂધ અને ગંગાજળથી સાફ કરી. શનિવારે સવારે જિલ્લા કોર્ટ પાસે લાગેલી ભીમરાવ આંબેડકરની મૂર્તિ પાસે કેટલાક દલિત દૂધ અને ગંગાજળ લઈને પહોંચ્યા અને આખી પ્રતિમા દૂધ અને ગંગાજળથી સાફ કરી.

પ્રતિમાને શુદ્ધ કરવામાં આવીઃ વકીલ

પ્રતિમાને શુદ્ધ કરવામાં આવીઃ વકીલ

પ્રતિમાને દૂધ અને ગંગાજળથી ધોવા પર વકીલોએ કહ્યુ કે આરએસએસ સાથે જોડાયેલા સાંસદ રાકેશ સિન્હા મેરઠથી આવ્યા હતા. અહીં આવીને તેમણે મૂર્તિ પર માલ્યાર્પણ કર્યુ હતુ. ત્યારબાદ મૂર્તિને સાફ કરવી જરૂરી હતી એટલા માટે તેમણે પ્રતિમાને ગંગાજળ અને દૂધથી નવડાવી દીધી છે. આનાથી પ્રતિમા શુદ્ધ થઈ જશે.

ભાજપ આંબેડકરને માનતી નથી

ભાજપ આંબેડકરને માનતી નથી

દલિત વકીલોનું માનવુ છે કે ભાજપ સરકાર સતત દલિતોનું દમન કરી રહી છે. તેમના અને સંઘના લોકો આંબેડકરને પસંદ કરતા નથી અને તેમનુ આંબેડકર સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે આંબેડકર માટે કશુ કર્યુ નથી. વકીલોએ કહ્યુ કે ભાજપ દલિત સમાજને લલચાવવા માટે આંબેડકરના નામનો ઉપયોગ કરી રહી છે.

ગુજરાતમાં પણ ઘોવામાં આવી હતી

ગુજરાતમાં પણ ઘોવામાં આવી હતી

આબંડેકર દિવસ પહેલા ગુજરાતના વડોદરામાં ડૉ. ભીમરાવ આંબેડકરવી 127 મ જયંતી પર મેનકા ગાંધી અને ભાજપના અન્ય નેતાઓના તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તરત જ દલિત સમાજના કાર્યકર્તાઓએ પ્રતિમા ધોઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X