દંતેવાડાઃ સુરક્ષાબળો સાથેની અથડામણમાં 2 નક્સલવાદી ઠાર મરાયા
દંતેવાડાઃ સુરક્ષાબળો સાથેની અથડામણમાં 2 નક્સલવાદી ઠાર મરાયા
રાયપુરઃ છત્તીસગઢથી મોટા સમાચાર મળી રહ્યા છે, જ્યાં દંતેવાડામાં સુરક્ષાબળોએ એન્કાઉન્ટર દરમિયાન બે નક્સલવાદીઓને ઠાર માર્યા છે, ઠાર મરાયેલ નક્સલીઓમાં એક મહિલા પણ સામેલ છે, જેમની પાસેથી સુરક્ષાબળોએ હથિયાર જપ્ત કર્યાં છે, સુરક્ષાબળો અને નક્સલિઓની વચ્ચે આ અથડામણ દંતેવાડા અને સુકમા બોર્ડર પર થઈ છે, આઈજી બસ્તર વિવેકાનંદે એન્કાઉન્ટરમાં બે નક્સલીઓને ઠાર માર્યા હોવાની પુષ્ટિ કરી છે.
ઉલ્લેખનીય છે કે નક્સલીઓ પાછલા એક મહિનાથી કેટલીય મોટી ઘટનાને અંજામ આપી ચૂક્યા છે, હાલમાં જ નક્સલીઓએ છત્તીસગઢની સીમા પાસે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં સુરક્ષાબળો પર હુમલો કર્યો હતો આ હુમલામાં ચાલક સહિત 16 જવાન શહીદ થઈ ગયા હતા. જ્યારે ગત 26 તારીખે સુકમા જિલ્લાના બીમાપુરમાં સુરક્ષાબળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં 4 નક્સલવાદીઓ ઠાર મરાયા હતા અને મોટી સંખ્યામાં હથિયાર જપ્ત થયાં હતાં, જેમાં એક ઈંસાસ રાઈફલ અને બે 303 રાઈફલ સામેલ હતી, જણાવી દઈએ કે પાછલા દિવસોમાં પણ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષાબળોએ ઓપરેશન પ્રહારમાં 9 નક્સલવાદીઓને ઠાર માર્યા હતા, આ દરમિયાન 2 પોલીસ જવાન પણ શહીદ થયા હતા.
SP Dantewada Abhishek Pallava says, "District Reserve Guard female commandos “Danteshwari Ladake” also took part in this encounter". 30 women including surrendered Naxals cadres or wives of surrendered cadres were recruited in the only woman DRG platoon in Dantewada.#Chhattisgarh https://t.co/pbzrP8Rezj
— ANI (@ANI) May 8, 2019
જણાવી ધઈએ કે નક્સલીઓ વિરુદ્ધ ઑપરેશન પ્રહાર-4 અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, આ અભિયાનમાં એસટીએફ, ડીઆરજી અને સીઆરપીએફની કોબરા બટાલિયનના જવાન સામેલ છે. આ અભિયાનમાં એસટીએફની બે ટીમ, ડીઆરજી સુકમાની 10 ટીમ, કોબરાની 4 ટીમ મળીને 1200 જવાનોએ ભાગ લીધો છે. આ અભિયાન માઓવાદિઓની બટાલિયન નંબર એકના કોર ક્ષેત્ર સાકલેર, ટોંડામરકા અને સાલેતોંગમાં ચલાવવામાં આવ્યું હતું. આ સ્થળ સુકમા, બીજાપુર અને કોત્તાગુડેમના ત્રિકોણમાં આવે છે.
આ પણ વાંચો- ઝારખંડમાં ભાજપની રેલી પહેલા નક્સલવાદીઓએ બોમ્બથી ઉડાવ્યું ભાજપનું કાર્યાલય