ગોવિંદાના મીસ ફાયર અંગે પુત્રી ટીનાએ કર્યો મોટો ખુલાસો, જણાવી ઘટનાની સચ્ચાઈ
firing on Govinda: બોલીવુડ અભિનેતા ગોવિંદા હાલ હેડલાઈન્સમાં છે. ગોવિંદા સાથે એક અકસ્માત થયો છે. બંદૂક સાફ કરતા સમયે ગોવિંદાના પગમાં ભૂલથી ગોળી ચાલી ગઈ હતી.
જે બાદ ગોવિંદાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગોવિંદાની પોતાની રિવોલ્વર ભૂલથી તેના ઘૂંટણમાં ગોળી વાગી હતી.
હાલ ગોવિંદાના પગમાંથી ગોળી કાઢી લેવામાં આવી છે, પરંતુ તેને હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવ્યો છે અને આગામી 24 કલાક સુધી તેને ICUમાં રાખવામાં આવશે.
ગોવિંદાના મેનેજર શશિ સિન્હા પાસેથી મળેલી માહિતી મુજબ, અભિનેતા ગોવિંદા આજે એટલે કે 1 ઓક્ટોબર 2024ના રોજ સવારે 4.45 વાગ્યે મુંબઈથી કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો.

ગોવિંદાના મેનેજરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, અભિનેતા અને શિવસેનાના નેતા ગોવિંદા કોલકાતા જવાના હતા. તેમની પત્ની સુનીતા પહેલાથી જ કોલકાતામાં હાજર હતી.
ગોવિંદા હાલ મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં છે. અભિનેતાની પુત્રી ટીના આહુજાએ તેની હેલ્થ અપડેટ આપી છે. પુત્રીએ જણાવ્યું કે, ગોવિંદાનું ઓપરેશન થઈ ગયું છે, અને હવે તે જોખમમાંથી બહાર છે.
ગોવિંદાની પુત્રી ટીના આહુજાએ જણાવ્યું હતું કે, હાલ હું હાલમાં પાપા સાથે ICU માં હાજર છું. હું અત્યારે વધારે વાત કરી શકતી નથી.
ટીના આહુજાએ આગળ કહ્યું કે, પિતાની તબિયત પહેલા કરતા ઘણી સારી છે. ગોળી વાગ્યા બાદ પપ્પાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન સફળ રહ્યું હતું. ડૉક્ટર્સે તમામ ટેસ્ટ કર્યા છે, રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.
ટીના આહુજાએ જણાવ્યું હતું કે, પપ્પા ઓછામાં ઓછા 24 કલાક ICUમાં રહેશે. 24 કલાક પછી ડૉક્ટર નક્કી કરશે કે, પપ્પાને વધુ સમય ICU માં રાખવા કે નહીં. ડૉક્ટર્સ સતત પપ્પાની દેખરેખ રાખી રહ્યા છે. ચિંતા કરવાની જરૂર નથી, આભાર.
ઉલ્લેખનીય છે કે, ગોવિંદા સાથેની આ ઘટના બાદ તરત જ પોલીસ અભિનેતાના ઘરે પહોંચી હતી. તેઓએ ગોવિંદાની બંદૂકનો કબજો લઈ લીધો છે.
સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી પરમજીત સિંહ દહિયાએ જણાવ્યું છે કે, જે બંદૂકમાંથી ગોળી ચલાવવામાં આવી હતી, તે લાઇસન્સવાળી બંદૂક હતી.












Click it and Unblock the Notifications
