ઘઉંના ખેતરમાં પડી હતી લાશ, જાનવરો તેને ખાઈ રહ્યા હતા
જિલ્લા ગોપીગંજ કોતવાલી ક્ષેત્રના ભિડીઉરા ગામમાં ખેતરમાં શુક્રવારે સવારે એક લાશ મળી આવી. આપણે જણાવી દઈએ કે લાશના અડધા ભાગને જાનવરો ખાઈ ચુક્યા હતા.
જિલ્લા ગોપીગંજ કોતવાલી ક્ષેત્રના ભિડીઉરા ગામમાં ખેતરમાં શુક્રવારે સવારે એક લાશ મળી આવી. આપણે જણાવી દઈએ કે લાશના અડધા ભાગને જાનવરો ખાઈ ચુક્યા હતા. સવારે ખેતરે ગયેલા લોકો ઘ્વારા લાશ વિશેની સૂચના પોલીસને આપી સૂચના મળતા જ પોલીસ જગ્યા પર પહોંચી ગયી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. હાલમાં પોલીસે મૃતકની પત્નીના કહેવા પર રિપોર્ટ નોંધી લીધી છે.

મળતી જાણકારી અનુસાર સુરિયાંવ ના કલીપુર ગામમાં રહેવા વાળો ધમેન્દ્ર ગૌતમ જેની ઉમર 40 વર્ષ છે મજૂરીનું કામ કરતો હતો. ધમેન્દ્ર 11 ફેબ્રુઆરીએ દેવનાથપુર બજારમાં કામ કરવા ગયો હતો પરંતુ ઘરે પાછો ફર્યો નહીં. ધમેન્દ્રના પરિવારે તેના ગાયબ થવાની રિપોર્ટ 14 ફેબ્રુઆરીએ નોંધાવી. આ ઘટના વચ્ચે શુક્વારે જિલ્લા ગોપીગંજ કોતવાલી ક્ષેત્રના ભિડીઉરા ગામમાં ખેતરમાં એક લાશ મળી આવી. લાશ મળવાની જાણકારી આખા ગામમાં ફેલાઈ ગયી અને લોકોએ પોલીસને જાણ કરી.
થોડા જ સમયમાં પોલીસ ક્ષેત્ર અધિકારી રામ કરન અને ગોપીગંજ કોતવાલી ના પ્રભારી સુનિલ કુમાર વર્મા જગ્યા પર પહોંચી ગયા. પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે શવ ધમેન્દ્ર ગૌતમ નું છે. શવનો અડધો ભાગ જાનવરો ખાઈ ગયા હતા. પોલીસે બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
પોલીસ અધિકારી સંજય કુમારે જણાવ્યું છે કે મૃતક ધમેન્દ્ર ની પત્નીએ પતિના ભાઈ અને તેના દીકરા પર હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે ઘટનાની શોધ ચાલી રહી છે અને દોશી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
